વિશાખા ક્રેડિટ સોસાયટીને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ
Rajkot,તા.23
વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ને હપ્તાની રકમ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાનો ગુનાનો કેસ ચાલી જતા અદાલતે અજય વાઘેલા તથા અનિલ સોલંકીને ૬ માસની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટીમાંથી સભાસદ દરજ્જે અજયભાઈ મનસુખભાઈ વાઘેલા તથા અનીલભાઈ રવજીભાઈ સોલંકીએ લોન લીધી હતી. જે લોનના હપ્તા ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે બંને લોન ધારકોને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે નેગોસીએબલ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. છે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. ના એડવોકેટ અનિરૂધ્ધ નથવાણીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લઈ એડી. ચીફ. જયુડી. મેજી. આર.આર. મિસ્ત્રીએ અજય વાઘેલા તથા અનીલ સોલંકીને ધી નેગો. ઈન્સ્ટ્ર. એકટની કલમ-૧૩૮, ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ–૨૫૫(૨) અન્વયે તકસીરવાન ઠરાવી છ માસની સાદી કેદ તથા ચેક મુજબની રકમ વાર્ષીક છ ટકાના સાદા વ્યાજ વળતરનો દંડ કરવામાં આવેલો અને જો દંડ 1 માસમાં ન ચુકવે તો વધુ ૧માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડિયા તથા ધર્મીલ વી. પોપટ રોકાયેલ હતા.