Rajkot,તા.11
વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના બે લોનધારકને ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ૬૦ દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના લોનધારક શીતલબેન બીપીનભાઈ વાઘેલા અને રોહીતભાઈ જયસુખભાઈ બારૈયાએ લોન લીધી હતી. બંને લોનધારકોએ ચુકવણી માટે આપેલા અલગ અલગ ચેક પરત ફરતા રિકવરી મેનેજર વીશાલભાઈ મોહનભાઈ વાઘેલા દ્વારા કોર્ટમાં શીતલબેન વાઘેલા અને રોહીતભાઈ બારૈયા વિરુદ્ધ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજૂઆત બાદ ફરીયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ એડી. ચીફ. જયુડી. મેજી. બી.એન. શ્રીવાસ્તવે આરોપી શીતલબેન વાઘેલા અને રોહીતભાઈ બારૈયાને ચેક રિટર્ન કેસમાં તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ ૬૦ દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ અનિરૂધ્ધ નથવાણી, દિવ્યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડિયા અને ધર્મીલ વી. પોપટ રોકાયા હતા.