Madhya Pradesh,તા.09
મધ્યપ્રદેશમાં દૂષિત ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ (Coldrif Cough Syrup)ની દુર્ઘટના હજુ પણ યથાવત્ છે. જેમાં કિડનીમાં સંક્રમણને કારણે વધુ બે માસૂમ બાળકોનાં મોત થતાં, રાજ્યમાં આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. ગુરુવારે છિંદવાડાના એડિશનલ કલેક્ટર ધીરેન્દ્ર સિંહ નેત્રીએ આ મૃત્યુઆંકની પુષ્ટિ કરી.એડિશનલ કલેક્ટરે જણાવ્યું કે, છિંદવાડાના પરાસિયા કસબાના રહેવાસી બે બાળકો – 5 વર્ષના વિશાલ (બુધવારે સાંજે) અને 4 વર્ષના મયંક સૂર્યવંશી (મોડી રાત્રે)નું નાગપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આ સાથે, મૃત્યુ પામનારા બાળકોની સંખ્યા હવે 22 થઈ ગઈ છે.મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SITની રચના કરીને, તમિલનાડુ સ્થિત ‘કોલ્ડ્રિફ’ના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SITએ ગુરુવારે ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે. પોલીસે દવા ફેક્ટરીને સીલ પણ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે અને શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.
મધ્યપ્રદેશ સરકારે બાળકોના મોતની તપાસ દરમિયાન બે ઔષધિ નિરીક્ષકો અને FDAના એક ઉપ નિર્દેશકને સસ્પેન્ડ કર્યા હતા, તેમજ રાજ્યના ઔષધિ નિયંત્રક (Drug Controller)ની બદલી કરી દીધી હતી.આ કેસમાં છિંદવાડાના ડૉ. પ્રવીણ સોનીની બેદરકારીના આરોપસર ધરપકડ કરાઈ છે, જેમની જામીન અરજી સ્થાનિક કોર્ટે બુધવારે ફગાવી દીધી. ડૉ. સોનીની ધરપકડના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ ગુરુવારે જિલ્લામાં અનિશ્ચિતકાળની હડતાળની ધમકી આપી છે.
મધ્યપ્રદેશ પોલીસે આ મોતના કેસની તપાસ માટે SITની રચના કરીને, તમિલનાડુ સ્થિત કોલ્ડ્રિફના નિર્માતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પરાસિયાના SDOP જિતેન્દ્ર સિંહ જાટે જણાવ્યું કે, SITએ ગુરુવારે ભેળસેળયુક્ત કફ સિરપ મામલે તમિલનાડુની શ્રીસન ફાર્માના માલિક રંગનાથન ગોવિંદનની ચેન્નઈમાંથી ધરપકડ કરી છે અને દવા ફેક્ટરીને સીલ કરી દીધી છે. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ બાદ શુક્રવાર સુધીમાં પરાસિયા લાવવામાં આવશે.