મહુવા ખાતે રહેતા અને મહુવાના કતપર નજીક આવેલા ભવાની માતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપતા પ્રફુલચંદ્ર દલપતરામ પંડયાએ મહુવા પોલીસ મથકમાં રમેશભારથી અને જયદેવભારથી (બન્ને રહે.ભવાની મંદિર, કતપર ગામ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૯-૧૧થી ૨૫-૦૬ સુધી ભવાની મંદિર કતપર ખાતે સેવાપુજામાં પગારદાર તરીકે રહેલા ઉક્ત રમેશભારથી અને જયદેવભારથી વારા પ્રમાણે મંદિરમાં સેવાપુજાનું કામ કરતા હતા. દરમિયાનમાં મંદિરમાં લગાવવામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા ગત તા.૨૩-૦૪ના રોજ ઉક્ત રમેશભારથી માતાજીના ચાંદીના છત્તર તથા તા.૨૬-૧૨-૨૦૨૪ અને તા.૦૫-૦૧ના રોજ જયદેવભારથી મંદિરના ગર્ભગૃહમાંથી રોકડા રૂપિયા અને માતાજીને ચડાવવામાં આવતી સાડીની ચોરી કરતા જોવામાં આવ્યા હતા. તેમજ ૨૫-૦૬ના રોજ એક ભક્ત દ્વારા માતાજીને ચડાવવામાં આવેલો રૂ.૨૫ હજારનો ચડાવો મંદિરના ટ્રસ્ટમાં કે દાનપેટીમાં જમા કરાવ્યો નહોતો. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Trending
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો
- Dhoraji નજીક યુવકનું ડમ્પરની ઠોકરે કાળનો કોળિયો
- Keshod ના અગતરાઈ ગામેં છૂટાછેડાના 10 લાખ માંગી ધમકી અપાતા યુવકનો આપઘાત
- Rajkot: ESI કોર્ટનો 50% ડેમેજીસ ભરવાનો હુકમ મંજૂર
- Rajkot: કેવલમ ક્વાર્ટરમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા