Morbi,તા.31
મોરબીના ઘૂટું રોડ પર સિરામિક કારખાનામાં રહીને કામ કરતા ૨૫ વર્ષના યુવાને નદીના પાણીમાં કુદી આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે જયારે વાંકાનેરના દીવાનપરામાં માનસિક બીમારીથી કંટાળી યુવાને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે
પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જુના ઘૂટું રોડ પર વિકાસ કારખાનાની મજુર કોલોનીમાં રહેતા સતીષ જીતમાલજી માલવી (ઉ.વ.૨૫) નામના યુવાનને વતનમાં જવું હતું અને પગાર થયો ના હતો જેથી મનમાં લાગી આવતા જુના ઘૂટું રોડ પર આવેલ નદીના પાણીમાં કુદી જતા પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બીજા બનાવમાં વાંકાનેરના દીવાનપરામાં રહેતા નમીર ઇમરાન રવાણી નામના યુવાને પોતાના બાથરૂમમાં ઓઢણું વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક નમીર રવાણી માનસિક બીમારીથી પીડિત હતો અને બીમારીથી કંટાળી જતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે