નડિયાદના પારસ સર્કલ પાસે આજે વહેલી સવારે જ મહાનગરપાલિકાના ત્રણ વિભાગોની ટીમો પહોંચી હતી. જ્યાં દબાણ વિભાગે પારસ સર્કલ નજીક ગેરકાયદે ગલ્લાં અને ઓટલાં સહિતના દબાણો દૂર કર્યા હતા. દબાણો હટાવ્યા બાદ સેનેટરી વિભાગની ટીમ દ્વારા સ્થળ પરથી કાદવ અને ગંદકીનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. લગભગ બે ટ્રેક્ટર જેટલો કચરો દૂર કરાયો હતો. સમગ્ર કામગીરી બાદ વરસાદી લાઈનનો મુખ્ય પોઈન્ટ ખુલ્લો કરીને ચોકઅપ થયેલી વરસાદી લાઈનની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. હાલ તો, નડિયાદમાં વરસાદી કાંસની ૮૦ ટકા જેટલી સફાઈ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચાલુ વરસાદ દરમિયાન પણ પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત વરસાદી કાંસોની સફાઈ શરૂ કરાઈ છે. ભવિષ્યમાં આ સ્થળે પુનઃ ગંદકી અને દબાણ જેવી સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકાએ વિશેષ આયોજન કર્યંં છે. ચેમ્બર ઉપર પ્લેટફોર્મ બનાવીને સિમેન્ટનું ઢાંકણું નાખીને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે સેનેટરી વિભાગને આ સ્થળે ગંદકી ન થાય તે માટે પણ તાકીદ કરી હતી. સ્થળ પર આવેલા બે વૃક્ષોની ડાળીઓ વાયરોની વચ્ચે આવેલી છે.
Trending
- Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક
- Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો
- Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો
- Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ
- Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી
- India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
- Babar Azam ની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં, તેમની બેટિંગ પોઝિશન બદલાશે; મુખ્ય કોચ
- Tilak Verma પોતાની પહેલી મેચમાં મોટો સીમાચિહ્ન હાંસલ કરી શકે છે

