Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara માં પતિ બન્યો લોહીનો તરસ્યો,પત્નીની ગળું દબાવી હત્યા કરી

    November 17, 2025

    Bhavnagar માં સીરપના જથ્થા સાથે ૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે

    November 17, 2025

    આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે’ Nitinbhai Patel

    November 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara માં પતિ બન્યો લોહીનો તરસ્યો,પત્નીની ગળું દબાવી હત્યા કરી
    • Bhavnagar માં સીરપના જથ્થા સાથે ૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે
    • આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે’ Nitinbhai Patel
    • ધારાસભ્ય Chaitar Vasav પર બેઠક દરમિયાન મહિલા પંચાયત વડા અને અન્ય વ્યક્તિ પર હુમલો કરવાનો ધવલ પટેલે આરોપ લગાવ્યો
    • Rahul Gandhi માનહાનિ કેસઃ સુનાવણી ફરી મુલતવી,સાક્ષીઓ ગેરહાજર
    • Sardar Patel ની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ઘાટલોડિયામાંથી યુનિટી માર્ચનો શુભારંભ
    • જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?
    • સગા-સબંધી સૌ મતલબના સાચો સાથીદાર પ્રભુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Sardar Patel ની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ઘાટલોડિયામાંથી યુનિટી માર્ચનો શુભારંભ
    અમદાવાદ

    Sardar Patel ની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે ઘાટલોડિયામાંથી યુનિટી માર્ચનો શુભારંભ

    Vikram RavalBy Vikram RavalNovember 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૭

    લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીને રાષ્ટ્રીય સ્તરે વિશેષ રૂપ આપવા માટે અભિયાન અંતર્ગત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે એકતા, રાષ્ટ્રીય ગૌરવ અને સામાજિક જાગૃતિના સંદેશને વેગ આપવા અમદાવાદની તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ૧૬ ન૦૯૨મ્બરથી દરરોજ ‘યુનિટી માર્ચ’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઘાટલોડિયાવિધાનસભા વિસ્તારમાં આવેલા આંબલી ગામ નજીક ખોડીયાર માતાના મંદિરથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.

    સવારે ૮ વાગ્યે શરૂ થયેલી આ પદયાત્રા ૩.૫ કિલોમીટરથી વધુ લાંબી હતી અને તે બોપલ ઓવરબ્રિજ પાસેના વિવિધ રોડ પરથી પસાર થઈને પૂર્ણ થઈ. પદયાત્રાના પ્રારંભમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે પદયાત્રામાં ભાગ લઈને લગભગ ૮૦૦ મીટર સુધી ચાલીને લોકો સાથે સંવાદ સાધ્યો અને એકતાના સંદેશને મજબૂત કર્યો. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ તથા અન્ય પ્રદેશ અને શહેર ભાજપના હોદ્દેદારો પણ જોડાયા હતા. જોકે, મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ અધવચ્ચેથી જ પદયાત્રામાંથી રવાના થયા હતા, જ્યારે સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકોએ પૂર્ણ પદયાત્રા પૂર્ણ કરી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદયાત્રા દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ દ્વારા સરદાર સાહેબને સૌથી શ્રેષ્ઠ અંજલિ આપી છે. આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક બની છે.” તેમણે વધુમાં કહ્યું કે, “સરદાર પટેલે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ૫૬૨ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.”

    આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ અને ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પદયાત્રા દરમિયાન ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘સરદાર પટેલ અમર રહે’ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. આ અભિયાન દ્વારા રાષ્ટ્રીય એકતા અને સરદાર પટેલના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલથી અમદાવાદની અન્ય વિધાનસભાઓમાં પણ આવા જ યુનિટી માર્ચનું આયોજન ચાલુ રહેશે.આ કાર્યક્રમનું આયોજન ભાજપના સ્થાનિક નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું અને તેમાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં આવા કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

    anniversary Sardar Patel's 150th birth Unity March begins
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    અદાણી સિમેન્ટ TNFD ભલામણો સ્વીકારનાર ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની

    November 17, 2025
    અમદાવાદ

    Ahmedabad ની ઝાયડસ હૉસ્પિટલને સતત સાતમી વખત શ્રેષ્ઠ હૉસ્પિટલનો એવોર્ડ મળ્યો

    November 17, 2025
    અમદાવાદ

    Ahmedabad: ગ્રેનેડ હુમલાના કાવતરામાં સામેલ આરોપી હાલોલમાંથી પકડાયો

    November 15, 2025
    અમદાવાદ

    Green Card માટે સૌરાષ્ટ્રની 73 વર્ષની વૃદ્ધાએ અમેરિકન સાથે લગ્ન કર્યા

    November 15, 2025
    અમદાવાદ

    Ahmedabad: ખાતરની અછત રોકવા દેશવ્યાપી દરોડા

    November 15, 2025
    અમદાવાદ

    કોંગ્રેસનાં `Oxygen Man’ને ગુજરાતની જવાબદારી

    November 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vadodara માં પતિ બન્યો લોહીનો તરસ્યો,પત્નીની ગળું દબાવી હત્યા કરી

    November 17, 2025

    Bhavnagar માં સીરપના જથ્થા સાથે ૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે

    November 17, 2025

    આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે’ Nitinbhai Patel

    November 17, 2025

    ધારાસભ્ય Chaitar Vasav પર બેઠક દરમિયાન મહિલા પંચાયત વડા અને અન્ય વ્યક્તિ પર હુમલો કરવાનો ધવલ પટેલે આરોપ લગાવ્યો

    November 17, 2025

    Rahul Gandhi માનહાનિ કેસઃ સુનાવણી ફરી મુલતવી,સાક્ષીઓ ગેરહાજર

    November 17, 2025

    જેની ઇન્દ્રિયો વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું અંતર છે?

    November 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara માં પતિ બન્યો લોહીનો તરસ્યો,પત્નીની ગળું દબાવી હત્યા કરી

    November 17, 2025

    Bhavnagar માં સીરપના જથ્થા સાથે ૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે

    November 17, 2025

    આપ આવે કે ઝાપ આવે, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે’ Nitinbhai Patel

    November 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.