New Delhi, તા. 12
અમદાવાદની વિમાની દુર્ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને રાજકીય નેતાઓેએ ઉંડુ દુ:ખ દર્શાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી આ દુર્ઘટનાનું દુ:ખ છે.
અમદાવાદમાં ગુજરાત સરકાર તથા ઉડ્ડયન વિભાગ સાથે સતત સંપર્કમાં છે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ સતત વાતચીત કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. ઉપરાંત ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પણ અમદાવાદ પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરી પર દેખરેખ રાખવા માટે બંને સીનીયર પ્રધાનોને અમદાવાદ જવાની સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયાની ગણતરીની મીનીટોમાં જ એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થઇ ગયું હતું અને તેમાં જાનખુવારીની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.