Upaleta,તા.૨૧
ઉપલેટા પંથકમાં બે દિવસ દરમિયાન આકાશી આફતમાં કિશોર સહીત ત્રણના મોતના અહેવાલથી ભારે અરેરાટી વ્યાપી છે. પ્રાપ્ત વિગત અનુસાર પ્રથમ બનાવમાં પાટણવાવ રોડ પરથી સેવંત્રા ગામના દેવેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા(ઉ.વ.15) નામના કિશોર પોતાનું બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે હાડફોડી ગામ પાસે વીજળી પડતા કરુણ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં કોલકી ગામના યુવાન મનોજ પ્રજાપતિ વેણુ ડેમ નજીક હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ત્રીજા બનાવમાં બીએસપીએસ મંદિર પાસે બિલ્ડીંગમાં કામ કરતા મુકેશભાઈ દિનેશભાઇ વોરા મિસ્ત્રી કામ કરતી વખતે આકસ્મિક રીતે પડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મુકેશભાઈ ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિરના શ્રીજી ચરણદાસજી સ્વામીના ભાઈ થતાં હોવાનું જાણવા મળ્યું છે.