Upaleta,તા.30
ઉપલેટામાં લવ મેરેજ કરનાર પરિણીતાને સાસરિયાએ ત્રાસ આપી, માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતા રૂકશારબેને પતિ ઇદ્રીશ, સાસુ રોશનબેન, સસરા ફેઝુલભાઇ સામે આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવતા ઉપલેટા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદી રૂકશારબેન (ઉં. વ.25, રહે.ઉપલેટા, દરબારી વાડા એમ.ડી. સ્કુલની પાછળ)એ જણાવ્યું કે, મારા પિતાનું નામ હૈદરશા જલાલી છે. હાલ હું મારા માતા પિતા સાથે મારા માવતરે રહું છું. તા.15/5/2023 ના રોજ ઉપલેટાના ખ્વાજા નગરમાં રહેતા ઇદ્રીશ ફૈઝુલભાઇ મીર સાથે મેં રાજીખુશીથી પ્રેમ લગ્ન કરેલ હતા. લગ્ન બાદ બે મહિના સુધી મને મારા પતિ, સાસુ, સસરા એમ બધાએ સારી રીતે રાખેલ.
બાદમાં પતિ કોઇ બીજી અજાણી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને જેની મને ખબર પડતા મેં મારા પતિને બીજી સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ન રાખવાનું કહેતા મને અવાર નવાર શારીરીક માનસીક દુખત્રાસ આપતો. મને ઢીકાપાટુનો માર મારતો. આ વાત મેં મારા સાસુ સસરાને કરી હતી. તેઓ કહેતા કે, તારા પતિ જે કરે તે તેને કરવા દે તેમ કહી અને મારા પતિને મારા વિરૂધ્ધ ચડામણી કરતા.
ત્રાસ સહન ન થતા હું મારા માતા પિતાના ઘરે જતી રહેલી. અને બાદ મારા પતિ અમારા સમાજના આગેવાન દ્રારા ધરમેળે સમાધાન કરી અને મને મારા માતા પિતા ના ધરેથી તેના ધરે તેડી જતા અને બાદ મારા પતિ તથા મારા સાસુ સસરા મને અવાર નવાર ધરકામ બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે તુ ધરનુ કામ સરખુ કરતી નથી અને તેમ કહી અને મને મારા પતિ ઢીકાપાટુનો માર મારતા આશરે છએક મહિના પહેલા મારા સાસરીયામાંથી મારા માવતર આવતી રહેલ હતી.