સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટની દાનપેટીએ તાળા વાગ્યા છે કુબેર મંદિરની દાનપેટી સીલ કરવામાં આવી છે ચેરિટી કમિશ્રરની ઓફિસે આ નિર્ણય લીધો છ
Vadodara,તા.૨૨
વડોદરામાં ડભોઈ ખાતેના કુબેર મંદિરનો વિવાદ સામે આવ્યો છે. કુબેર ભંડારીને ત્યાં જ હિસાબમાં ગોટાળા છે. સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટની દાનપેટીએ તાળા વાગ્યા છે. કુબેર મંદિરની દાનપેટી સીલ કરવામાં આવી છે. ચેરિટી કમિશ્રરની ઓફિસે આ નિર્ણય લીધો છે.
ચેરિટીના કર્મચારીઓની હાજરીમાં દાનપેટી ખોલવામાં આવશે. ભૂતકાળના ટ્રસ્ટિઓએ ગેરવહીવટ કર્યાનો આરોપ છે. કુબેર મંદિરમાંથી રૂપિયાનો હિસાબ ન મળતા આક્ષેપો થયા છે.બે વર્ષથી નવા ટ્રસ્ટીઓએ કુબેર મંદિરનો વહીવટ સંભાળ્યો છે.
ડભોઈ કરનાળી કુબેર મંદિરનો વિવાદ ફરીથી સામે આવ્યો છે. દેવોના ખજાનચી કુબેર ભંડારીને ત્યાં જ હિસાબમાં ગરબડ ગોટાળા બહાર આવ્યા છે. કુબેર મંદિરના કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટની દાનપેટીને તાળા વાગ્યા છે. હવે આ દાનપેટીને ચેરિટી કમિશ્રનરના કર્મચારીઓની હાજરીમાં જ ખોલવામાં આવશે.
આ અંગે જૂના ટ્રસ્ટીઓએ મંદિરનો ગેરવહીવટ કર્યા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. કુબેર મંદિરના ૨૦૧૮માં રૂ. ૪૪ લાખનો કોઈ હિસાબ ન હોવાના લીધે આ નિર્ણય લેવાયો છે. કુબેર મંદિરમાંથી રૂપિયાનો હિસાબ મળતો ન હોવાના આક્ષેપો છે. રૂપિયાના હિસાબના આરોપોના પગલે જૂના ટ્રસ્ટીઓ નીકળી ગયા હતા અને છેલ્લા બે વર્ષથી નવા ટ્રસ્ટીઓએ કુબેરનો વહીવટ સંભાળ્યો છે.