ભાવનગર જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન નહિંવત હોવાથી દૈનિક માંગને લઈ મોટાભાગના લીલા શાકભાજી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય પ્રાંતોમાંથી ભાવનગર આવી રહ્યા છે. જો કે, શહેર જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ખોરવાયો છે જેના કારણે લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પણ અધુરૂં હોય તેમ સ્થાનિક કક્ષાએ ઉતાપાદિત થતાં શાકભાજી વરસાદમાં પળળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્યાપક પ્રમાણમાં ઘટ ઉભી થતા લીલી શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને આંબ્યા છે. જેમાં મુખ્યત્વે ચોળી, કંટોળા, ગુવાર, રીંગણા, ટમેટા, દુધી, કોબીઝ અને ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ રૂા.૪૦થી રૂા.૭૦ સુધીનો જયારે તુરીયા, કારેલા, પરવળ, ટીંડોરા સહિતના શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂા રૂા.૩૦ સુધીનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનેના છુટકે મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવતાં તેની કિચન બજેટ પર અસર થઈ રહી છે.
Trending
- નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે, અને ભક્તોને વિવિધ આશીર્વાદ મળે છે
- US advises Pakistan ને તેના સંરક્ષણ બજેટને પારદર્શક બનાવવાની સલાહ આપી
- Nepal ના બળવા પછી, કાઠમંડુ ચીન સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યું છે
- America એ વાસ્તવિક નીતિ અપનાવવી જોઈએ,તાલિબાનનો કડક જવાબ
- Suhana Khan ભાઈ આર્યનને નંબર ૧ કહે છે, બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી
- પરેશ અને મને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી,Director Priyadarshan
- Trupti Dimri ના ઘરે એક નવો મહેમાન આવ્યો છે, અભિનેત્રીએ એક સુંદર ફોટો શેર કર્યો છે
- મારી શક્તિ મારા પરિવારનો પ્રેમ છે; તેણે મારી શક્તિને જાગૃત કરી,લાપતા લેડીઝ” fame Pratibha Ranta