Veraval, તા.16
વેરાવળમાં ચોમાસા દરમ્યાન પડેલા ખાડાને રીસરફેશીંગ કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હોય જે આગામી દિવાળીના દિવસો પહેલા પૂૂૂર્ણ કરવામાં આવનાર છે.
આ અંગે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકાના બાંધકામ શાખાના ચેરમેન દીક્ષિતાબેન અઢિયા એ માહીતી આપતા જણાવેલ કે, દર વર્ષની જેમ આ વખતે પણ નગરપાલીકાની સમગ્રટીમ દ્વારા ચોમાસા બાદ રોડ રિસરફેશીંગ નું કામ જાહેર કરેલ પરંતુ ચોમાસુ લંબાય જતા કામ આજથી શરૂ કરાવેલ છે.
વધુમાં જણાવેલ કે નગરપાલીકાની સમગ્રટીમ દ્વારા દિવાળીના તહેવાર પહેલા જ શહેરના મુખ્યમાર્ગ તેમજ બજારમાં જરૂર જણાય એવા મોટા ખાડાઓ બોક્સકટિંગ, બીએમ, સિલકોટ સહિત કામ કરાવી રીસરફેસીંગનું કામ પૂર્ણ કરી નાખવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.