Veraval,તા.09
વેરાવળ હાલાઈ લોહાણા મહાજન ના ઉપક્રમે જલારામ ઉત્સવ સમિતિ દ્વારા વેરાવળ લોહાણા મહાજન વાડી બપોરે સમૂહ પ્રસાદી તેમજ સાંજે લોહાણા બોર્ડિંગ ના પટાંગણમાં સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદી ના અદભુત દર્શન નો લાભ જ્ઞાતિજનો એ લીધો.જલારામ જયંતી નિમિત્તે જલારામ મંદિર ટ્રસ્ટ ના ભદ્રેશભાઈ દાવડા તેમજ તેમની ટીમ દ્વારા જલારામ મંદિરમાં અનકોટના દર્શન તેમજ લોક ડાયરો બ્લડ ડોનેશન કેમ્પ અને જલારામ બાપાની શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્યવિજયસિંહ જાડેજા, સીટી મામલતદાર શામળા, જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શોભાયાત્રાને વધાવી બાપાના દર્શનનો લાભ લીધો હતો. તો સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પ્રમુખ દામજીભાઈ ફોફંડી,અધ્યક્ષ લખમભાઈ ભેસલા,તુલસીભાઈ ગોહેલ, સરમણભાઈ સોલંકી, સહિતના લોહાણા સમાજના વિક્રમભાઈ તન્ના મુકેશભાઈ રૂપારેલીયા,અશોકભાઈ ગદા, ભરતભાઈ ચોલેરા, ધીરુભાઈ ચંદે,મહેશભાઈ દતાણી,બીપીનભાઈ અઢિયા,રવિભાઈ ખખ્ખર, મુકેશભાઈ ચોલેરા,અનિષ રાચ્છ,જીતેન્દ્ર ખખ્ખર, રાકેશભાઈ દેવાણી, રવિભાઈ સામાણી,રાજ ગંગદેવ,રાજ ધનેશા, લરશ્મિન લાખાણી, ગોરધનભાઈ નથવાણી, નિલેશભાઈ વિઠલાણી, ભારતીબેન ચંદ્રાણી, હંસાબેન પાબરી, દિક્ષિતાબેન અઢિયા, લોહાણા મહિલા મંડળના બિન્દુબેન ચંદ્રાણી તેમજ કારોબારી સભ્યો, રઘુવંશી મહિલા પાંખ, તેમજ શહેર ના રાજકીય સામાજિક આગેવાનો વેપારી આગેવાનો દ્વારા આ શોભાયાત્રા નું ઠેર ઠેર ફૂલહાર શરબત આઇસ્ક્રીમ ઠંડા પીણા પીરસી આવકારી જલારામ બાપાના દર્શન નો લાભ લઈ સ્વાગત કરવામાં આવેલ હતું વેરાવળ જાણે જલારામ મહી બન્યું હોય તેઓ નજારો જોવા મળ્યો હતો ખાસ કરીને ડીજેના તાલે બેનો દ્વારા તેમજ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી લુહાણા બોર્ડિંગ ખાતે સાંજે રાજકીય,સામાજિક તેમજ દરેક જ્ઞાતિના આગેવાનોને પણ પ્રસાદી લેવા આમંત્રણ આપેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે..