હત્યારો કાજલી ગામનો વિપુલ ઠાકોરનું પોલીસ સમક્ષ સરેન્ડર
Veraval,તા.28
વેરાવળના ભીડીયા વિસ્તારમાં વાણીયાના મસાણ તરીકે ઓળખાતી જગ્યા પાસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.
ઘટના રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ બની હતી. હત્યારો કાજલી ગામનો વિપુલ અનિલકુમાર ઠાકોર હોવાનું સામે આવ્યું છે. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ સીધો વેરાવળ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે.
પ્રાથમિક તપાસમાં સામાન્ય બોલાચાલી હત્યામાં ફેરવાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ બાદ હત્યાનું ચોક્કસ કારણ સામે આવશે. વેરાવળ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
ઘટનાની જાણ થતાં વેરાવળ સીટી પોલીસ ઇન્સ. એચ. આર.ગોસ્વામી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ખારવા સમાજના આગેવાનો રમેશભાઈ ડાલકી, તુલસીભાઈ ગોહેલ, નગરસેવક પરેશ કોટિયા સહિત મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.