સરપંચની ચૂંટણમાં વિજેતા બન્યા બાદ મોહમદહુસૈન મલેક અને તેમના સમર્થકો વિજય સરઘસ કાઢવા માટે બસ સ્ટેન્ડ પાસે એકઠા થયા હતા. જોકે, ગામમાં તંગદિલીભર્યો માહોલ હોવાથી પોલીસે તેમને સરઘસ કાઢવાની મંજૂરી આપી ન હતી. પોલીસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગામમાં માહોલ ખરાબ હોય સરઘસ ન કાઢશો. વિજેતા સરપંચ મોહમદહુસૈન મલેકનો દાવો છે કે, હારેલા ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થકો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. વિજેતા સરપંચે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમર્થકો સાથે બસ સ્ટેન્ડથી ગામ તરફ વરઘોડો કાઢવાની તૈયારી કરતા હતા, તે વખતે પોલીસે તેમના સમર્થકોને ગાડીમાં બેસાડી અને ઘરે મોકલી દીધા હતા. આ ઘટનાને પગલે વડથલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હોવાની પમ માહિતી મળી રહી છે. સમગ્ર ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Trending
- Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક
- Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો
- Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો
- Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ
- Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી
- India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
- Babar Azam ની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં, તેમની બેટિંગ પોઝિશન બદલાશે; મુખ્ય કોચ
- Tilak Verma પોતાની પહેલી મેચમાં મોટો સીમાચિહ્ન હાંસલ કરી શકે છે

