સરપંચની ચૂંટણમાં વિજેતા બન્યા બાદ મોહમદહુસૈન મલેક અને તેમના સમર્થકો વિજય સરઘસ કાઢવા માટે બસ સ્ટેન્ડ પાસે એકઠા થયા હતા. જોકે, ગામમાં તંગદિલીભર્યો માહોલ હોવાથી પોલીસે તેમને સરઘસ કાઢવાની મંજૂરી આપી ન હતી. પોલીસે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગામમાં માહોલ ખરાબ હોય સરઘસ ન કાઢશો. વિજેતા સરપંચ મોહમદહુસૈન મલેકનો દાવો છે કે, હારેલા ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા તેમના સમર્થકો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. વિજેતા સરપંચે એમ પણ જણાવ્યું હતું કે, તેઓ સમર્થકો સાથે બસ સ્ટેન્ડથી ગામ તરફ વરઘોડો કાઢવાની તૈયારી કરતા હતા, તે વખતે પોલીસે તેમના સમર્થકોને ગાડીમાં બેસાડી અને ઘરે મોકલી દીધા હતા. આ ઘટનાને પગલે વડથલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો હોવાની પમ માહિતી મળી રહી છે. સમગ્ર ગામમાં પોલીસ છાવણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Trending
- Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી
- Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા
- Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય
- Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત
- Talaja Court મા 5 દિવસથી ન્યાયિક કાર્યવાહી ઠપ્પઃ તંત્ર દ્વારા મરામતનો દાવો
- Kheda-Anand:રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી
- Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો
- Bhavnagar: સર ટી. હોસ્પિટલમાં ઘુંટણની સર્જરી માટે દર્દીઓને હાલાકી