વિરાટ અને અનુષ્કા સવારે ૭ વાગ્યાની આસપાસ રામલલ્લા મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા હતા
Ayodhya, તા.૨૫
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રવિવારે સવારે અચાનક પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યા પહોંચ્યો હતો. પહેલીવાર બંનેએ રામ નગરીની એકસાથે મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કા સવારે ૭ વાગ્યાની આસપાસ રામલલ્લા મંદિર પહોંચ્યા અને દર્શન કર્યા હતા. તેઓ લગભગ અડધો કલાક મંદિર પરિસરમાં રહ્યા અને રામ દરબારની મુલાકાત લીધી. રામલલ્લાના દર્શન કર્યા પછી બંને સવારે ૮ વાગ્યે હનુમાનગઢી મંદિર પહોંચ્યા હતા અને હનુમાનજીના દર્શન કર્યા હતા. વિરાટ કોહલીએ સવા કિલો લાડુ અને ફૂલોનો હાર અર્પણ કર્યો. મંદિરના પુજારીએ વિરાટને માળા પહેરાવી અને આશીર્વાદ આપ્યા હતા. અનુષ્કાને પણ માળા પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. ત્યાં હાજર મહંતે બંનેને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ સમગ્ર સફર દરમિયાન વિરાટ અને અનુષ્કાએ મીડિયાથી અંતર જાળવી રાખ્યું અને દર્શન અને પૂજામાં સંપૂર્ણપણે મગ્ન રહ્યા. દર્શન કર્યા પછી, બંને લખનૌ જવા રવાના થયા. હાલમાં વિરાટ ૈંઁન્માં રમી રહ્યો છે અને તેની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે અને હવે તેની નજર ઇઝ્રમ્ ફાઇનલમાં પહોંચે અને તેનું પહેલું ટાઇટલ જીતે તેના પર છે.