મૃતક નવલસિંહની પત્ની અને ભાણેજને પોલીસે ઝડપી લીધા
Morbi,તા.17
અમદાવાદ પોલીસે ઝડપી લીધેલ સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહ કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા હત્યાના પુરાવા મળ્યા બાદ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં મૃતક આરોપી નવલસિંહના પત્ની અને ભાણેજને ઝડપી લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ પીએસઆઈ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ આરોપી મૃતક નવલસિંહ મુળજીભાઈ ચાવડા, સોનલબેન નવલસિંહ ચાવડા રહે બંને રહે શિયાણી પોળ મોટા પીર વઢવાણ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને શક્તિરાજ ભરતભાઈ માનસિંગભાઈ ચાવડા રહે ધમલપર વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી મૃતક નગ્માબેન કાદરભાઈ મુકાસમને મૃતક આરોપી નવલસિંહ ચાવડા સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન માટે દબાણ કરતા હતા આરોપી નવલસિંહ પરિણીત હતો અને લગ્ન કરવા માંગતો ના હતો જેથી દશેક માસ પૂર્વે ધુળેટીના દિવસે તા. ૨૬-૦૩-૨૦૨૪ ના રોજ વઢવાણ ખાતેના રહેણાંક મકાને બોલાવી સોડીયમ પાવડર પીવડાવી હત્યા કરી મૃતદેહના કટકા કરી પ્લાસ્ટિક થેલીમાં ભરીને ભાણેજ શક્તિરાજ ચાવડાને ફોન કરી ખાડો ખોદી રાખવા જણાવી આરોપી નવલસિંહ અને જીગર ગોહિલ બંને ગાડીઓ લઈને આવી મૃતદેહ આરોપી નવલસિંહ, તેની નાબાલિક દીકરી અને પત્ની સોનલબેને લાવી મૃતદેહ દાટી પુરાવાનો નાશ કર્યો હતો
વાંકાનેર સીટી પોલીસે આરોપી મૃતક નવલસિંહ, તેની પત્ની અને ભાણેજ સહિતના ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે તપાસ દરમિયાન વાંકાનેર સીટી પોલીસ ટીમે આરોપી મૃતક નવલસિંહના પત્ની સોનલબેન ચાવડા અને ભાણેજ શક્તિરાજ ચાવડાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે