Morbi,તા.11
તા. ૨૦ ના રોજ માત્ર જોઈન્ટ સેક્રેટરીની ચુંટણી યોજાશે
વાંકાનેર બાર એસોની ચુંટણીમાં ફોર્મ પરત ખેંચાતા પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચીની બિનહરીફ વરણી થઇ છે આગામી તા. ૨૦ ના રોજ માત્ર જોઈન્ટ સેક્રેટરીના પદ માટે ચુંટણી યોજાશે
વાંકાનેર બાર એસો. ચુંટણી માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે કુલ ૧૮ માંથી ૧૨ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા જેને પગલે વાંકાનેર બાર એસો પ્રમુખ તરીકે સુનીલભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી તરીકે ફારૂકભાઈ ખોરજીયા અને ખજાનચી તરીકે અર્પિત જોબનપુત્રાની બિનહરીફ વરણી થઇ છે તા. ૨૦ ના રોજ જોઈન્ટ સેક્રેટરી પદ માટે મીનાક્ષીબેન વોરા અને સીરાકમુદિન શેરશીયા વચ્ચે ચુંટણી યોજાશે