Morbi, તા.11
મોબાઈલ અને મૃતદેહ ધોળકા રોડ પર નદીમાં નાખી પુરાવાનો નાશ
વાંકાનેરમાં રહીને મજુરી કરતા આધેડે પરિણીતાને હેરાન કરી બીભત્સ માંગણીઓ કરી હતી જેથી વાડીએ બોલાવી પરિણીતા સહિતના ત્રણ ઇસમોએ ગળેટુંપો દઈને હત્યા કરી આધેડનું મોત નીપજાવ્યું હતું મોત નીપજાવી મૃતદેહ અને મોબાઈલ ધોળકા રોડ પર નદીમાં નાખી તેમજ આધેડનું બાઈક કુવામાં નાખી દીધું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર તીર્થક પેપરમિલ પાસે રહેતા નાનકાભાઈ કેકડીયાભાઈ માવી (ઉ.વ.૨૦) નામના યુવાને આરોપીઓ સુરેશ વેસ્તાભાઇ બારિયા રહે લીયારા ગામ તા. પડધરી, મનાભાઇ લબરીયાભાઈ વસુનીયા રહે લીલાપર ગામ અને સુરેશભાઈના પત્ની મેરીબાઈ એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પિતા કેકડીયાભાઈ ધૂપસિંહ કચરો વીણવાની મજુરીકામ કરતા હતા ગત તા. ૧૫-૧૦ ના રોજ પિતા બાઈક જીજે ૦૩ ઇપી ૯૩૩૨ લઈને લીલાપર ગામથી જતા રહ્યા હતા અને ગુમ થયા હતા જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી
તાલુકા પોલીસ તુમ થયાની તપાસ ચલાવતા પિતાના મોબાઈલની કોલ ડીટેઇલ મેળવતા તેના મિત્ર અને ગામના રહેવાસી સુરેશભાઈ વેસ્તાભાઇ બારીયાનો સંપર્ક કર્યો હતો અને તેની પૂછપરછ કરતા પોલીસને કબુલાત આપી હતી કે ફરિયાદીના પિતા કેકડીયાભાઈએ સુરેશના પત્ની મેરીબાઈને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણી કરી હતી જેથી સંબંધી મનાભાઇ અને સુરેશના પત્ની મેરીબાઈ એમ ત્રણેય ઇસમોએ પળના બનાવી ગત તા. ૧૫-૧૦ ના રોજ મેરીબાઈએ પિતાને ફોન કરી વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે સીમમાં વાડીએ બોલાવી પિતાનું ગળું દબાવી ગળેટુંપો દઈને હત્યા કરી હતી બાદમાં મૃતદેહ અને પિતાનો મોબાઈલ ફોર વ્હીલ કારમાં ધોળકા રોડ પર નદીમાં ક્યાંક નાખી દીધો હતો તેમજ પિતાનું બાઈક કુવામાં નાખી દીધું હતું
આમ ફરિયાદીના પિતાએ સુરેશભાઈની પત્ની મેરીબાઈને ખોટી રીતે હેરાન કરી બીભત્સ માંગણીઓ કરી હતી જેથી આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીના પિતાને ફોન કરી અરણીટીંબા ગામની સીમમાં વાડીએ બોલાવી હત્યા કરી મૃતદેહ અને મોબાઈલ ધોળકા રોડ પર નદીમાં નાખી અને બાઈક કુવામાં નાખી પુરાવાનો નાશ કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે