Morbi,તા.19
રાજકોટની યુવતીને મોતને ઘાટ ઉતારી મૃતક તાંત્રિકે મૃતદેહના ટુકડા કરી વાંકાનેર નજીક દાટી દીધા હતા જે મૃતદેહના અવશેષો શોધી કાઢી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની પત્ની અને ભાણેજને ઝડપી લીધા હતા જે આરોપીઓને સાથે રાખી મૃતક મુખ્ય આરોપી નવલસિંહના ઘરે તપાસ કરતા છરી, કતર સહિતના હથિયારો મળી આવતા પોલીસે મુદામાલ કબજે લીધો છે
વાંકાનેર સીટી પોલીસ પીએસઆઈ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ આરોપી મૃતક નવલસિંહ મુળજીભાઈ ચાવડા, સોનલબેન નવલસિંહ ચાવડા રહે બંને રહે શિયાણી પોળ મોટા પીર વઢવાણ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને શક્તિરાજ ભરતભાઈ માનસિંગભાઈ ચાવડા રહે ધમલપર વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી મૃતક નગ્માબેન કાદરભાઈ મુકાસમને મૃતક આરોપી નવલસિંહ ચાવડા સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન માટે દબાણ કરતા હતા આરોપી નવલસિંહ પરિણીત હતો અને લગ્ન કરવા માંગતો ના હતો જેથી દશેક માસ પૂર્વે ધુળેટીના દિવસે તા. ૨૬-૦૩-૨૦૨૪ ના રોજ વઢવાણ ખાતેના રહેણાંક મકાને બોલાવી સોડીયમ પાવડર પીવડાવી હત્યા કરી મૃતદેહના કટકા કરી પ્લાસ્ટિક થેલીમાં ભરીને ભાણેજ શક્તિરાજ ચાવડાને ફોન કરી ખાડો ખોદી રાખવા જણાવી આરોપી નવલસિંહ અને જીગર ગોહિલ બંને ગાડીઓ લઈને આવી મૃતદેહ આરોપી નવલસિંહ, તેની નાબાલિક દીકરી અને પત્ની સોનલબેને લાવી મૃતદેહ દાટી પુરાવાનો નાશ કર્યો હતો
જે ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે મૃતક નવલસિંહના પત્ની આરોપી સોનલબેન ચાવડા અને ભાણેજ શક્તિરાજ ચાવડાને ઝડપી લીધા હતા ઝડપાયેલા બંને આરોપીને સાથે રાખીને નવલસિંહના ઘર સહિતના સ્થળોએ તપાસ કરી હતી જ્યાંથી છરી, કતર, કાર મળી આવ્યા હતા જે કારની શીટમાંથી બ્લડ પણ મળી આવ્યું હતું જેથી પોલીસે મુદામાલ કબજે લીધો હતો અને વધુ તપાસ ચલાવી છે