Morbi, તા.11
વાંકાનેર બાઉન્ડ્રી નજીક લક્ઝરી બસના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં સવાર મુસાફરનું મોત થયું હતું તેમજ રીક્ષામાં સવાર અન્યને ઈજા પહોંચાડી હતી લક્ઝરી બસની ઠોકરને પગલે રીક્ષા સ્કોર્પીઓ કાર સાથે અથડાતા રીક્ષા અને કાર બંને પોલીસ ચોકી તરફ સરકી જતા બંને વાહનમાં નુકશાન પહોંચાડી બસનો ચાલક નાસી ગયો હતો
થાનગઢના રહેવાસી મહાદેવભાઈ ગોવિંદભાઈ સરવૈયાએ મહાસાગર ટ્રાવેલ્સની બસ જીજે ૦૩ બીટી ૯૦૩૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ જયેશભાઈ સરવૈયા દીકરા ધવલને પરત લેવા ગત તા. ૦૭-૧૧ ના રોજ રાજકોટથી ઠીકરીયાળા રીક્ષામાં બેસી આવતા હોય જે રીક્ષાનું અકસ્માત થયું હોવાની માહિતી મળતા સ્થળ પર દોડી ગયા હતા જ્યાં ભાઈ જયેશભાઈ અકસ્માત થયેલ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા સ્થળ પર રીક્ષા અને સ્કોર્પીઓ કાર અકસ્માત થયેલ હાલતમાં પોલીસ ચોકી પાસે પડ્યા હતા બંને વાહનમાં નુકશાન થયું હતું તેમજ રીક્ષામાં બેસેલ મુસાફરો જેમાં ગમ્નક અશ્વિનભાઈ અને તેના પરિવારને ઈજા પહોંચી હતી ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં જયેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને અન્ય ત્રણ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી
આમ ફરિયાદીના ભાઈ જયેશભાઈ ઘરની બાજુમાં રહેતા ગોપાલભાઈ પ્રેમજીભાઈ કિંહલાની રીક્ષા જીજે ૧૩ એવી ૭૧૧૬ ની રીક્ષામાં ઠીકરીયાળા ગામે હંસાબેનના ઘરે ફરિયાદીના દીકરા ધવલને લેવા માટે રાજકોટ તરફના રોડ પરથી જતા હોય ત્યારે ઠીકરીયાળા ગામ પાસે ડિવાઈડર કટમાંથી વણાંક લેતા ચોટીલાથી રાજકોટ જતી મહાસાગર ટ્રાવેલ્સની બસના ચાલકે જયેશભાઈની રિક્ષાને ઠોકર મારતા જયેશભાઈ રોડ પર પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તેમજ રીક્ષા ઠોકરના લીધે ટ્રાવેલ્સ સમાંતરે ચાલતા સ્કોર્પીઓ કાર સાથે અથડાતા કારના ચાલકે અકસ્માત નિવારવા પ્રયત્ન કરતા કાર અને રીક્ષા પોલીસ ચોકી તરફ સરકી જતા બંને વાહનોમાં નુકશાન થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે