Wankaner તા.2
વાંકાનેર વિસ્તારમાં ગઢીયા હનુમાન મીત્ર મંડળ દ્વારા જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવામા ગઢીયા હનુમાન મીત્ર મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
આ સેવામાં ગઢીયા હનુમાન મીત્ર મંડળને પ્રોત્સાહન પુરૂ પાડવા અને સેવાકીય પ્રવૃતિઓને બીરદાવવા માટે વાંકાનેર ડીવાયએસપી સમીરભાઈ સારડા, શૈલેષભાઈ ઠકકર, સદસ્ય ગુજરાત વ્યાપારી સેલ ભાજપ, કે.ડી. ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા, કાપડ એસો. પ્રમુખ મુન્નાભાઈ હેરમાએ હાજર રહી ગઢીયા હનુમાન મીત્ર મંડળની સેવાકીય પ્રવૃતિઓ બદલ અભિનંદન આપ્યા હતા.
કોઈ જરૂરીયાતમંદ વ્યકિતને ધાબળાની જરૂરીયાત હોય તો રવિભાઈ લખતરીયા મો.98241 93274 અથવા ભુપતભાઈ છૈયા મો.63526 30453 પર સંપર્ક કરવા જણાવાયું છે.