Morbi,તા.25
બાઈક ચાલકનું મોત થયું જયારે એક યુવાનને ઈજા
વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પર ડબલ સવારી બાઈકમાં બે યુવાન જતા હતા ત્યારે ભેંસ આડી ઉતરતા જોરદાર બ્રેક મારતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો જે અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચતા એકનું મોત થયું હતું
મૂળ યુપીના વતની અને હાલ વાંકાનેર રહેતા કમલાકાંતભાઈ દુર્ગાપ્રસાદ ચૌધરી નામના યુવાને બાઈક ચાલક પુનાભાઈ મંગાભાઈ વોરા રહે રાતીદેવલી તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પુનાભાઈ વોરા બાઈક ચલાવતા હતા અને કમલાકાંત પાછળ બેઠા હતા વાંકાનેર ચોટીલા હાઈવે પર બાઈક પુરઝડપે ચલાવતા રસ્તામાં ભેંસ આડી ઉતરી હતી ત્યારે બાઈકને જોરદાર બ્રેક મારતા કાબુ ગુમાવી દીધો હતો જેથી બંને યુવાન બાઈક સહીત રોડ પર પડી જતા કમલાકાન્તને ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક પુનાભાઈ વોરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે