Ahmedabad,તા.10
નદીપારના વિસ્તારોમાં જાસપુર વોટર વર્કસ ખાતેથી પાણી પુરુ પડાય છે. ૪૦૦ એમ.એલ.ડી.ક્ષમતાના આ વોટર વર્કસમાં સોમવારે શટડાઉનની કામગીરી કરાઈ હતી.આ કારણથી આજે સવારે નદીપારના મોટાભાગના વિસ્તારોમાં પાણી ઓછુ મળશે.પાલડી,સરખેજ,ચાંદખેડા અને રાણીપ સહિતના અનેક વિસ્તારમાં અસર વર્તાશે.
વોટર પ્રોડકશન વિભાગ દ્વારા જાસપુર વોટર વર્કસ ખાતે ટેકનીકલ કારણોસર સોમવારે સવારના ૮થી બપોરના ૪ કલાક સુધી શટડાઉન કર્યુ હતુ.આ કારણથી ઘાટલોડીયા, ચોદલોડિયા, બોડકદેવ,થલતેજ ઉપરાંત જોધપુર, મકતમપુરા તેમજ પશ્ચિમ ઝોનમાં આવેલા વાસણા, નવરંગપુરા, નવા વાડજ સહિતના વિસ્તારમાં આજે ઉપલબ્ધ જથ્થાના આધારે પાણી અપાશે.