નીતિ આયોગની બેઠક પર બોલવાની મંજૂરી આપવામાં આવી નથી,મમતા બેનર્જી
New Delhi,તા.૨૭
નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી. બજેટમાં ભેદભાવનો આક્ષેપ કરીને, કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાંથી દૂર રહ્યા હતા. જોકે વિપક્ષી ગઠબંધનમાંથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જ તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તે પણ બેઠકને અધવચ્ચે છોડીને બહાર આવી ગયા હતાં તેમનો આરોપ છે કે તેમને બોલવાની તક આપવામાં આવી ન હતી
નારાજ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ’મેં બેઠકમાં કહ્યું હતું કે તમે (કેન્દ્ર સરકાર) રાજ્ય સરકારો સાથે ભેદભાવ ન કરો. હું બોલવા માંગતી હતી, પરંતુ મને માત્ર પાંચ મિનિટ માટે જ બોલવા દેવામાં આવી લોકોએ મારી સામે ૧૦-૨૦ મિનિટ વાત કરી. આ કાર્યક્રમમાં વિપક્ષ તરફથી હું એકલી જ ભાગ લઇ રહી હતી પરંતુ તેમ છતાં મને બોલવા દેવામાં આવી ન હતી. આ અપમાનજનક છે.’
બંગાળના સીએમએ વધુમાં આરોપ લગાવ્યો કે, ’હું બોલી રહ્યી હતી ત્યારે મારું માઈક બંધ થઈ ગયું હતું. મેં પૂછ્યું કે મને બોલતા કેમ અટકાવવામાં આવે છે. મારી સાથે ભેદભાવ શા માટે કરવામાં આવે છે? તમારે ખુશ થવું જોઈએ કે તમારી પાર્ટી અને સરકારને વધુ તક આપવાને બદલે મેં બેઠકમાં હાજરી આપી. વિપક્ષમાંથી માત્ર હું જ છું અને તમે મને બોલતા રોકી રહ્યા છો. આ માત્ર બંગાળનું અપમાન નથી પરંતુ તમામ પ્રાદેશિક પક્ષોનું અપમાન છે.
આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ, અરુણાચલના નાયબ મુખ્યમંત્રી ચૌના મેઈન, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ, આસામના મુખ્યમંત્રીઓ ભાગ લીધો હતા આ ઉપરાંત મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પણ હાજર હતાં જયારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન,હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ,કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા,તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન,પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગસામી,ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ભાજપના સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાગ લીધો ન હતો