Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપરથી પટકાતાં યુવાનનું મોત

    October 27, 2025

    Morbi: જલારામ જયંતિના ધામધુમથી ભવ્ય શોભાયાત્રા નીકળશે

    October 27, 2025

    Morbi: મચ્છુ નદીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપરથી પટકાતાં યુવાનનું મોત
    • Morbi: જલારામ જયંતિના ધામધુમથી ભવ્ય શોભાયાત્રા નીકળશે
    • Morbi: મચ્છુ નદીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત
    • Morbi: ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને સ્નેહમિલન યોજાયું
    • Surendaranagar: ઝાલાવાડમાં વધુ એકવાર માવઠાના મારથી ખેડૂતોની હાલત કફોડી
    • Surendaranagar: કડદા પ્રથા’ મુદ્દે રાજ્યમાં ખેડૂત આંદોલન ઉગ્ર થવાના એંધાણ
    • Surendaranagar: ધ્રાંગધ્રાનાં નરાળીમાં શહિદ આર્મી જવાનનાં અગ્નિ સંસ્કાર
    • Surendaranagar: ત્રણ યુવાનોને અજાણ્યા વાહન સાથે ટક્કર થતાં ગંભીર ઇજાઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર મંત્રીશ્રીના ઘરે ઇડી, આઇટી,જીએસટીક્યારે રેડ પાડવા જશે. : Amit Chavda
    ગુજરાત

    કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર મંત્રીશ્રીના ઘરે ઇડી, આઇટી,જીએસટીક્યારે રેડ પાડવા જશે. : Amit Chavda

    Vikram RavalBy Vikram RavalMay 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૧૯

    વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ ચાલતું હોવા બાબતની સરકારને અનેક વખત લેખિત રજુઆતો કરવામાં આવેલ. ધાનપુર-દેવગઢ બારિયામાં અનેક ગામોમાં સ્થળ ઉપર કોઈપણ કામ કર્યા સિવાય બારોબાર લાખો રૂપિયાના એક એક ગામમાંથી બીલ બારોબાર ચૂકવાઈ ગયા હોવા બાબતના પુરાવા, સ્થાનિક લોકોની એફિડેવિટ સહિતની વિગતો સાથે અમારા દ્વારા સરકારને લેખિતમાં તપાસ માટે માંગણી કરવામાં આવેલ. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ સમગ્ર હકીકતો, પુરાવા અને મંત્રીશ્રી બચુભાઈ ખાબડના પરિવારની સંડોવણીની તપાસ માટે માંગણી અનેક વખત કરવા છતાં સરકાર દ્વારા ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ મા. ધારાસભ્યશ્રી, પૂર્વ સંસદ સભ્ય સહિતના આગેવાનોએ સ્થળ તપાસ કરીને પણ વ્યાપક ભ્રષ્ટાચારના પ્રત્યક્ષ પુરાવા-હકીકતો મેળવી હતી.

    વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું કે ગત વિધાનસભાના સત્રમાં પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા સતત દાહોદના મનરેગા કૌભાંડની તપાસ અને મંત્રીશ્રીના પરિવારની સંડોવણીનો મુદ્દો ઉઠાવતા સરકાર ઉપર દબાણ ઉભું થયું હતું. સરકાર દ્વારા જીલ્લા સ્તરે તપાસની કાર્યવાહી કરતા દેવગઢ બારિયા-ધાનપુર તાલુકાના થોડા જ ગામોની તપાસમાં ૭૧ કરોડ કરતા વધુ રકમના ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધવામાં આવી છે અને મંત્રી પુત્રો સહિતનાની ધરપકડ પણ કરવામાં આવી છે.

    અમિત ચાવડાએ જણાવ્યું કે દાહોદ જીલ્લામાં ધાનપુર-દેવગઢ બારિયા તાલુકાની સાથે સાથે સંજેલી-ફતેપુરા-ઝાલોદ સહીત સમગ્ર જીલ્લામાં મનરેગા-નલ સે જલમાં ખુબ જ મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે. અને ઘણા વર્ષોથી ચાલી રહ્યું હોવાની વ્યાપક રજુઆતો અને પુરાવા સાથેની ફરિયાદો મળી છે. તે અનુસંધાને ૨૨મી મે ના રોજ દાહોદ ખાતે રજૂઆતકર્તાઓને રૂબરૂ સાંભળવા અને વધુ હકીકતો જાણવા દાહોદ જઈશું.

    તટસ્થ અને ન્યાયી તપાસ માટે સરકાર પાસે અમારી માંગણી છે કે   ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય તે માટે રાજ્ય સરકાર રાજ્ય સ્તરના પ્રમાણિક-નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઇટીએસઆઇટી બનાવી સમગ્ર જીલ્લામાં કૌભાંડની તપાસ કરાવે., તટસ્થ તપાસ થાય તે માટે મંત્રી બચુભાઈ ખાબડને તાત્કાલિક મંત્રીમંડળમાંથી દુર કરવામાં આવે., સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓ-અધિકારીઓને ત્યાં જીએસટી,ઇડી,આઇટી અને એસીબી મારફતે તપાસ કરાવવામાં આવે. સમગ્ર જીલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલ મનરેગાના કામોની તપાસ કરાવવામાં આવે.

    Amit Chavda Gandhinagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપરથી પટકાતાં યુવાનનું મોત

    October 27, 2025
    મોરબી

    Morbi: જલારામ જયંતિના ધામધુમથી ભવ્ય શોભાયાત્રા નીકળશે

    October 27, 2025
    મોરબી

    Morbi: મચ્છુ નદીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત

    October 27, 2025
    મોરબી

    Morbi: ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને સ્નેહમિલન યોજાયું

    October 27, 2025
    રાજકોટ

    Gujarat cabinet માં જયેશ રાદડીયાને સ્થાન ન મળતા અનેકવિધ અટકળો વ્યકત થવા લાગી

    October 27, 2025
    રાજકોટ

    મેઘરાજાના નૂતન વર્ષાભિનંદન : દરિયાકાંઠાના જિલ્લાઓમાં 1 થી 11 ઇંચ

    October 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપરથી પટકાતાં યુવાનનું મોત

    October 27, 2025

    Morbi: જલારામ જયંતિના ધામધુમથી ભવ્ય શોભાયાત્રા નીકળશે

    October 27, 2025

    Morbi: મચ્છુ નદીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત

    October 27, 2025

    Morbi: ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને સ્નેહમિલન યોજાયું

    October 27, 2025

    Surendaranagar: ઝાલાવાડમાં વધુ એકવાર માવઠાના મારથી ખેડૂતોની હાલત કફોડી

    October 27, 2025

    Surendaranagar: કડદા પ્રથા’ મુદ્દે રાજ્યમાં ખેડૂત આંદોલન ઉગ્ર થવાના એંધાણ

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: કારખાનામાં લેબર કોલોનીના બીજા માળે પારાપેટ ઉપરથી પટકાતાં યુવાનનું મોત

    October 27, 2025

    Morbi: જલારામ જયંતિના ધામધુમથી ભવ્ય શોભાયાત્રા નીકળશે

    October 27, 2025

    Morbi: મચ્છુ નદીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.