New Delhi તા.23
જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આતંકીઓએ પર્યટકો પર ફાયરીંગ કરી 28 જેટલા લોકોની હત્યા કરી અને અનેક લોકોને ઘાયલ કર્યા હતા. આ ઘટનાથી ભારત સહિત વિશ્વ ભરમાં ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ મીડીયાએ આ આતંકી ઘટનાની નોંધ લીધી છે.
ન્યુયોર્ક ટાઈમ્સ:મંગળવારે કાશ્મીરનાં ભારતીય અધિકારવાળા વિસ્તારમાં આતંકીઓએ પર્યટકોના એક સમુહ પર ગોળીબારી કરી હતી જેમાં બે ડઝનથી વધુના મોત થયા છે અનેક ઘાયલ થયા છે.
અલઝઝીરા: ભારત-શાસીત કાશ્મીરમાં સશસ્ત્ર હુમલાખોરોએ પર્યટકોનાં એક સમુહ પર ફાયરીંગ કર્યું હતું જેથી કમસે કમ 26 લોકોના મોત થયા છે.
ધી ડોન: મંગળવારે ભારત-શાસીત કાશ્મીર આ પ્રસિધ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં બંદુકધારીઓએ પર્યટકો પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટના ત્યારે બની જયારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતમાં છે.
વોશીંગ્ટન પોસ્ટ: મંગળવારે ભારત-શાસીત કાશ્મીરનાં એક પ્રસિધ્ધ પહાડી પર્યટન સ્થળ પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળીબારી કરી દીધી હતી. જેમાં અનેક પર્યટકો માર્યા ગયા હતા કે ઘાયલ થઈ ગયા હતા.
સીએનએન: મંગળવારે જમ્મુ-કાશ્મીરના વિવાદીત હિમાલયી વિસ્તારનાં શંકાસ્પદ આતંકી હુમલામાં કમ સે કમ 27 લોકોના મોત થયા છે અને ડઝનબંધ ઘાયલ થયા છે.
બીબીસી: ભારતીય પ્રશાસનવાળા કાશ્મીરમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ પર ઘરેલુ પર્યટકોનાં એક સમુહ પર બંદુકધારીઓએ ગોળીબાર કર્યા બાદ ઓછામાં 27 લોકોના મોત થયા હતા. આ હુમલો હિમાલયની ગોદમાં વસેલા સૌથી સુંદર શહેર પહેલગામમાં થયો હતો.