Morbi,તા.21
મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવોમાં યુવાન અને પરિણીતા સહિતના પાંચ વ્યક્તિના મોત થયા હતા જે બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં વાંકાનેર શહેરની મિલ સોસાયટી ચાર માળિયા બિલ્ડીંગમાં રહેતા હીનાબેન રફીકભાઈ બાબરિયા (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ ગત તા. ૨૦ ના રોજ ઘરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ પતિ રફીક હીનાબેન પર નાની નાની વાતે શક વહેમ કરતો હતો અને ઝઘડા થતા હોવાથી કંટાળી પત્નીએ આપઘાત કર્યાનું ખુલ્યું છે બીજા બનાવમાં મૂળ યુપીના વતની અને હાલ સરતાનપર રોડ પર સોલારીસ સિરામિક કારખાનાની ઓરડીમાં રહીને કામ કરતા શૈલેન્દ્રકુમાર પ્રમોદકુમાર (ઉ.વ.૧૯) નામના યુવાને ગત તા. ૨૦ ના રોજ કોઈ કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજા બનાવમાં મોરબીના વાવડી રોડ પર કારિયા સોસાયટીમાં રહેતા જીલ અનિલભાઈ બારડ (ઉ.વ.૧૯) નામના યુવાને ગત તા. ૨૦ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે ચોથા બનાવમાં મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રહેતા વિજય લાલજીભાઈ સોલંકી (ઉ.વ.૩૭) નામના યુવાન ગત તા. ૦૪ ફેબ્રુઆરીના રોજ નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ભડિયાદ જતા રેલ્વે ટ્રેક પર પસાર થતી ટ્રેનની હડફેટે ચડી જતા ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
જયારે પાંચમાં મોરબીના લાભનગર ધરમપુર રોડ મફતિયાપરાના રહેવાસી ચતુર સોમાભાઈ સાલાણી (ઉ.વ.૨૫) નામના યુવાન ગત તા. ૨૦ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી જતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે