Jamnagar તા ૨૮
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ૪૩ વર્ષીય શ્રમિક યુવાનનું ચોખાની ગુણી નીચે દબાઈ જવાના કારણે મૃત્યુ નીપજયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર -૨ માં રહેતો અને મજૂરી કામ કરતો ભરત મહેશભાઈ પરમાર નામનો ૪૩ વર્ષનો યુવાન કે જે પોતાના રૂમમાં ચોખાની ગુણીઓ નીચે દબાઈ ગયો હતો, એક ચોખાની ગુણી તેના માથે પડતાં દબાઈ જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મીનાબેન મહેશભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. એ. પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.