બનાવની વિગત આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે,પંચમહાલ જીલ્લાના શિંગપુર ખાતે રહેતો યુવાન મેહુલભાઈ બુધાભાઇ તડવી (ઉ.વ.૨૦) બોટાદ તાલુકાના લાખીયાણી ગામમાં ભાગવી વાડી રાખી મજૂરી કામ કરતો હતો.થોડા દિવસ પહેલા મેહુલભાઈ પોતાના વતનમાં જતો રહ્યો હતો. બાદમાં, પરત લાખીયાણી ગામે મિત્રોને મળવા માટે આવ્યો હતો. દરમિયાનમાં મેહુલભાઈને રાકેશ પ્રવીણભાઈ ભીલ નામના શખ્સ સાથે અગાઉ મનદુખ થયું હતું. જેની દાઝ રાખી ગત મોડી રાત્રીના સમયે મોકો જોઈ હુમલાખોર રાકેશે લખિયાણી ગામના પાદરમાં લાકડા અને પથ્થરના ઘા ઝીંકી મેહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને તેની હત્યા નિપજાવી રાકેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હત્યારાએ યુવાનના મોંઢા અને માથાના ભાગને પથ્થર વડે છૂંદી નાંખી હત્યામાં ક્રૂરતાની હદ વટાવી દિધી હતી. જો કે, બનાવની જાણ થતાં જ બોટાદ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. અને મૃતકના બેન દીપિકાબેનની ફરિયાદના આધારે બોટાદ રૂરલ પોલીસે રાકેશ પ્રવીણભાઈ ભીલ વિરૂદ્ધ હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી ફરાર હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બનાવને લઈ નાના એવા ગામમાં ભારે ચકચાર મચી હતી.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

