Morbi,તા.10
તીથવા ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયેલ ૪૦ વર્ષના યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મુનાભાઈ શેખરસિંગ બામનીયા (ઉ.વ.૪૦) નામના યુવાન તીથવા ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને પાણીમાં ડૂબી જતા ફાયરની ટીમને જાણ કરી હતી અને તરવૈયાઓએ શોધખોળ કર્યા બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે