Jamnagar તા ૨૬,
મૂળ ઉત્તરાખંડના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કામાં રહીને ડીસીસી કંપનીમાં કામ કરતા ભરતભાઈ ગંભીરરામ નામના ૪૦ વર્ષ ની વયના યુવાનને ગઈકાલે ડીસીસી કંપનીના ગેઇટ પાસે એકાએક ચક્કર આવતાં તેને તાત્કાલિક અસરથી સારવાર માટે સિક્કા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.
જે બનાવ મામલે કંપનીના સુપરવાઇઝર ઇશાન સુરેશકુમાર ગોયલ એ પોલીસને જાણ કરતાં સિક્કાના પોલીસ હેડ કોસ્ટેબલ એમ.પી. સિંધવ સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.