Morbi,તા.17
ઉંચી માંડલ ગામ નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૨ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ઉંચી માંડલ ગામની સીમમાં ઓરીન્ડા સિરામિકમાં રહીને કામ કરતા અજીતભાઈ રાજપાલસિંહ યાદવ (ઉ.વ.૨૨) નામના યુવાન ગત તા. ૧૬ ના રોજ ફેક્ટરીની લેબર કોલોનીમાં અગમ્ય કારણોસર મફલર બાંધી પંખા સાથે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે