Jasdan,તા.10
જસદણ પોલીસમાં મથકની હદમાં આવલા ઘેલા સોમનાથ પાસે મોટરસાયકલ અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં શ્રમજીવી યુવાન નું મોત નીપજ્યું હતું. પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આલાખાચરના પીપરડી ગામે રહેતા અને સેન્ટીંગમાં છૂટક મજૂરી કરતા હિતેશ રમેશભાઈ પરમાર ૮/૪/૨૫ ના રોજ મોટર સાયકલ લઈને ઘેલા સોમનાથ થી પોતાના ગામ તરફ આવતો હતો. ત્યારે સામેથી આવેલી ઇકો કારે મોટરસાયકલ ને ઠોકરે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હિતેશ રમેશભાઈ પરમાર ૨૫ ને પ્રથમ જસદણ હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવવામાં આવતા ડો, સંજય વાઘેલા મૃત જાહેર કરવામાં આવેલ મરનાર હિતેશભાઈ ને એક નાની બાળકી હોય અને પત્ની ગર્ભવતી હોય ઘરના મુખ્ય વ્યક્તિના મોત થી પરિવારનો નોધારું બની ગયેલંછે.