Morbi,તા.23
બગથળા ગામે રહેતા ૩૩ વર્ષના યુવાન ગામમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મોરબીના બગથળા ગામના રહેવાસી મયુરભાઈ ભીખાભાઈ સરવૈયા (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૨૨ ના રોજ સવારના ૧૦ : ૩૦ કલાક પહેલા કોઈપણ સમયે બગથળા ગામે આવેલ બગથળીયા મંદિર પાસે તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી યુવાન અકસ્માતે તળાવમાં ડૂબ્યો છે કે અન્ય કાઈ તે દિશામાં વધુ તપાસ ચલાવી છે