Bhavnagarતા.15
ભાવનગર જિલ્લાના તળાજા ના તળાવ વિસ્તારમાં હીરાના કારખાના મા મેનેજર તરીકે નોકરી કરતા યુવાને આજે વહેલી સવારે ઘરે થી કારખાને આવી ને ટેબલ ની મદદ થી દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.જેના પગલે રત્ન કલાકારો ના ટોળા ઉમટ્યા હતા.સમાજના આગેવાનો દોડી આવ્યા હતા.મૃતક મરતા પહેલા લખેલી ચિઠ્ઠી ખિસ્સામાથી પોલીસ ને મળી આવી હતી.જેમાં તેઓએ પોતાના સંતાનો નું ધ્યાન રાખવા જણાવ્યું હતું.0
હીરા ને પરખનાર રત્ન કલાકાર ઝીંદગી ને ન પરખી શકતા આજે તેઓએ વ્હાલસોયા દીકરો અને દીકરી સહિત પરિવાર ને નોંધારા મૂકીને જે સ્થળે પેટિયું રળતા હતા એજ સ્થળ ને આત્મહત્યા નું સ્થળ બનાવ્યું હતું.
તળાજા ની કરીમાબાદ સો.સા ખાતે રહેતા બરકત કાસમભાઈ પીરાણી (ઉ.વ.આ.42) નરેશભાઈ ફુલસર વાળા અલીભાઈ ભૂરાણી ની ભાડુઆત જગ્યા મા હીરાનું કારખાનું ચલાવતા હોય ત્યાં વર્ષોથી મેનેજર તરીકે નોકરી કરતા હતા.કારખાના ની ચાવી બરકતભાઈ પાસે જ રહેતી હોય આજે વહેલા આવી ને દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન નો અંત લાવી દીધો હતો.બનાવ ના પગલે સ્થાનિક નગર સેવક અક્રમભાઈ ભૂરાણી, ઈસ્માઈલી ખોજા સમાજના જ્ઞાતિજનો અને રત્ન કલાકારો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.
બનાવના પગલે ટાઉન બીટ ના આસી.સબ.ઈન્સ નિખિલ પંડ્યા એ જણાવ્યું હતુ કે મોત વ્હાલું કરવામાં કારણમાં લાંબા સમય થી માંદગી અને આર્થિક સંકડામણ હોવાનું પરિવાર જનોએ પોલીસ ને જણાવ્યું હતુ.

