Junagadhતા.૨૩
જુનાગઢ ગીરનાર પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદોનો મધપુડો દિવસે ને દિવસે છંછડાય રહ્યો છે. ત્યારે ગઈકાલે મહેશ ગીરી બાપુએ મીડિયાને શ્રી પંચ દશનામ જુના અખાડાના લેટર પર કરોડો રૂપિયા લેતી દેતી થયા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જેમાં બે કલેક્ટર અને અન્ય સાધુ સંતોને લાખો રૂપિયા દીધા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઇ ઉતારા મંડળના પ્રમુખે આ બાબતને સનાતન ધર્મને લાંછણ લગાડતી ઘટના ગણાવી છે. ત્યારે ગિરનારે સનાતન ધર્મની પવિત્ર જગ્યા છે.આ પવિત્ર જગ્યાને કોઈ પણ સાધુ સંતો ,કોઈ સમાજ કે સમાજના અગ્રણીઓ, અધિકારી પદાધિકારી કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા બદનામ કરવામાં આવશે તો આવી ઘટનાને સાખી લેવામાં નહીં આવે તેવું તારા મંડળના પ્રમુખે કહ્યું છે.
ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ અંબાજી મંદિર ને લઈ ચાલતા વિવાદ અંગે જણાવ્યું હતું કે જ્યારે જ્યારે ગિરનારની વાત આવે છે ત્યારે મારે બોલવું પડે છે. ગિરનારને બદનામ કરવા સાધુ સંતો, સંસારીઓ દ્વારા કે કોઈપણ રાજકીય પાર્ટી દ્વારા ખરાબ કૃત્ય થતું હોય ત્યારે બોલવું જરૂરી છે. ત્યારે છેલ્લા ચાર દિવસથી અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદીની જે વાત આવી હતી અને ત્યારબાદ સતત વિવાદો વધતા રહ્યા છે. ૨૦૧૫ માં જૂનાગઢના કલેકટર આલોક પાંડે હતા. અને તનસુખગીરી બાપુ ભવનાથ મંદિરના મહંત હતા. તે સમયે કલેકટર દ્વારા ફેરબદલ કરી કેવી રીતે નિમણૂક કરી તે તપાસનો વિષય છે.
ગુરુવારે મહેશ ગીરીબાપુ દ્વારા એક પત્ર જાહેર કરી પત્રમાં ભારતીય જનતા પાર્ટી ને પાંચ કરોડ, કલેકટર આલોક પાંડે ને ૫૦ લાખ , કલેકટર રાહુલ ગુપ્તાને ૫૦ લાખ અને અન્ય સાધુ સંતોને લાખો રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારે લાખો રૂપિયાનો વહીવટ કરી ભવનાથ મંદિરના મહંત તરીકે બાપુની નિમણૂક કરવામાં આવી તે સનાતન ધર્મને લાછણ લાગે તેવું કૃત્ય છે. આ વાત કોઈપણ કારણે ચલાવી લેવાય તેમ નથી. જ્યારે ભવનાથનો પૈસો ભવનાથના સ્થાન માટે વાપરવામાં આવતો હોય છે. પરંતુ આટલા લાખો રૂપિયા પાર્ટી ફંડ તરીકે જતું હોય ત્યારે આ ખૂબ જ દુઃખ જ ઘટના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જો ભવનાથનો પૈસો આવ્યો હોય તો તે ખૂબ જ મોટું ખરાબ કૃત્ય છે. આના કારણે પાર્ટીને પણ નુકસાન જવાનું છે. કારણ કે આ મહાદેવનો રૂપિયો છે અને મહાદેવનો રૂપિયો કોઈ દિવસ કોઈને પચ્યો નથી. ત્યારે એક અપીલ પણ કરું છું કે જો કદાચ અજાણતા આ ભૂલ થઈ હોય તો ભૂલને સુધારી લેવી જોઈએ. ત્યારે આજે કંઈ પણ બાબત થઈ છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું અને રાજકીય લોકો અધિકારી પદાધિકારીઓ અને સાધુ સંતોને અપીલ કરું છું કે સનાતન ધર્મના કોઈપણ સ્થાનકોને વ્યભિચાર કે ભ્રષ્ટાચારના નેજા નીચેનો અભડાવવો જોઈએ.