Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»અયપ્પા મંદિર પરસાણા નગર RAJKOT ખાતે તારીખ ૧૭ થી૨૩ભવ્ય વાર્ષિક મહોત્સવ
    ધાર્મિક

    અયપ્પા મંદિર પરસાણા નગર RAJKOT ખાતે તારીખ ૧૭ થી૨૩ભવ્ય વાર્ષિક મહોત્સવ

    Vikram RavalBy Vikram RavalDecember 17, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    RAJKOT.તા.17

    દક્ષિણ ભારત સિવાયના બહુ ઓછા લોકો અયપ્પા ભગવાન વિશે જાણતા હશે, કેમ કે, અયપ્પા ભગવાન એ દક્ષિણ ભારતમાં અત્યંત પૂજનીય અને લોકોની અયપ્પા ભગવાન તરફ ની શ્રધ્ધા જોવા જેવી છે, કયારેય દક્ષિણ ભારતમાં જાવ તો, અયપ્પા ભગવાનના સબરીમાલા મંદિરમાં જઈને કરી શકો છો. આજે આપણે ભગવાન અયપ્પા વિશે આપણે થોડુ જાણીએ.
    પુરાણપ્રસિદ્ધ હકીકત મુજબ સમુદ્રમંથન દરમિયાન નીકળેલ અમૃત ની વહેંચણી માટે વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃતની વહેંચણી કરી, એ દરમિયાન શિવજી વિષ્ણુનો આ મોહિની રૂપ થી મોહિત થઈને એમના પરત્વે આકર્ષાયા અને અયપ્પા ભગવાનનો જન્મ થયેલ, જેના કારણે અયપ્પા ભગવાન ને હરિ-હર પણ કહેવામાં આવે છે. અયપ્પા ભગવાને મહર્ષિ રાક્ષસનો વધ કરવા માટે પૃથ્વી પર અવતાર લીધેલ હતો.
    આવા અલૌકિક દેવ ‘અયપ્પા ભગવાન” નુ મંદિર આપણા રાજકોટમાં પરસાણાનગર-૧૫, સાંઢીયા પૂલ પાસે આવેલ છે, જયાં અયપ્પા ભગવાન ના મંદિર સિવાય ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણપતિ, ભગવાન કાર્તિકેય, માં દુર્ગા, નવ ગ્રહ મંદિર, નાગદેવતા મંદિર આવેલા છે, જ્યાં અયપ્પા ભગવાન ના દર્શન થતા જ તમોને અલૌકિક અહેસાસ થાય છે.
    સબરીમાલા મંદિર, કેરેલામાં જે પુજાઓ ધાર્મિક વિધિઓ થતી હોય છે, તે જ રીતે તેવી તમામ પુજાઓ, ધાર્મિક વિધિઓ અયપ્પા મંદિર, રાજકોટમાં કરવામાં આવી રહેલ છે.
    તે સિવાય આ મંદિરમાં આવતા નાના મોટા વાર-તહેવારો, પ્રસંગોમાં પુજા, મહામૃંત્યુજય હવન, ગણપતિ હવન, માતાજીના હવન વિગેરેના આયોજનો કરવામાં આવે છે તથા આ મંદિરમાં દર મહીને તમામ દેવો-દેવીઓને અષ્ટદ્રવ્યોથી અષ્ટાભિષેકમ કરવામાં આવે છે.
    આ અયપ્પા ભગવાનના મંદિરના પુજારી (તિરમેની) દક્ષિણ ભારતની પ્રાચીન પધ્ધતિથી સારૂ એવુ જયોતિષ શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે અને અનેક ગામે ગામથી લોકો પોતાને પડતી મુશ્કેલીના નિવારણ માટે આ મંદિરે આવે છે અને તેઓને આ મંદિરમાં ભગવાન અયપ્પાની સાક્ષીએ ધાર્મિક વિધિઓ પુજા, હવનો, પિતૃ પુજા કરાવવામાં આવે છે અને લોકોને તેઓના દુઃખમાંથી મુકત પણ કરાવે છે.
    આ મંદિરનુ સંચાલન અયપ્પા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેના પ્રમુખ તરીકે ડો. શીજી આર. પિલ્લઈ, મંત્રી-ગોપાલ ક્રિષ્નન પિલ્લઈ, ઉપપ્રમુખ-રાજેશભાઈ પિલ્લઈ અને ખજાનચી-બી. ટી. નાયર છે.
    અમોને એ વાત જણાવતા આનંદ થાય છે કે, અયપ્પા મંદિર, પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ ખાતે તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૨૩/૧૨/૨૦૨૪ સુધી વાર્ષિક મહોત્સવ ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે ધાર્મિક કાર્યક્રમમાં કેરળથી આવનાર
    મંદિરના મુખ્ય તંત્રી (પુજારી) તેની સાથે અન્ય પુજારીઓ સાથે આવીને તા.૧૭/૧૨/૨૦૨૪ ના સાંજે ૦૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા સુધી મંદિરનનું શુધ્ધિકરણ અને અન્ય પુજાઓ કરવામાં આવશે અને ત્યારબાદ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૦૫:૩૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા સુધી અલગ અલગ ધાર્મિક પુજા વિધિઓ કરવામાં આવશે. તેમજ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ અયપ્પા ભગવાન ની ધજા ચડાવવામાં આવશે, જે તા. ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ મોટી પુજા કરીને ધજા ઉતારવામાં આવશે, ધજા ચઢાવવાની તથા ધજા ઉતારવાની ધાર્મિક વિધિને કેરળમાં ખૂબ જ મોટુ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે, જે ધાર્મિક કાર્ય અમુક જ મંદિરમાં થાય છે.
    ”પંચનાથ મંદિર થી અયપ્પા ભગવાનની મૂર્તિ લઈ ચૌધરી હાઈસ્કુલ-ધરમ ટોકીઝ, જામટાવર, અયપ્પા મંદિર યાત્રા નીકળશે. આ અયપ્પા ભગવાનની યાત્રા ૨૭ વર્ષ પછી પંચનાથ મંદિરથી તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫ઃ૦૦ વાગ્યે પ્રયાણ કરશે. જેમાં દક્ષિણ ભારતની પ્રાચીન પ્રથા મુજબ દક્ષિણ ભારતની મહિલાઓ તે યાત્રામાં હાથમાં દીવો પ્રજ્વલિત કરીને યાત્રાને શોભાવશે, જેને ‘તાલપોલી’ કહેવામાં આવે છે, આ તાલપોલીનું દ્રશ્ય જોવા લાયક હોય છે, જે ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળતુ હશે. જેમાં આગળ પંચવાઘયમ (પાંચ પ્રકારના વાધ) યંત્રોથી વીસ થી પચ્ચીસ વ્યકિતઓ સાઉથ ઈન્ડીયન સ્ટાઈલ માં ઢોલ નગારા વગાડી યાત્રાનું આગમન થશે.
    સાઉથ ઈન્ડીયન કોમ્યુનીટી આ યાત્રામાં ઉમટી પડશે, આ કાર્યક્રમનુ આયોજન રાજકોટમાં લગભગ આશરે ૨૭ વર્ષ પછી સૌ પ્રથમવાર અયપ્પા સેવા સમિતિ ધ્વારા કરવામાં
    આવનાર છે, જેથી દક્ષિણ ભારતના લોકો તથા રાજકોટના તમામ ધર્મપ્રેમી લોકોને આ યાત્રામાં પધારી અયપ્પા ભગવાન ના દર્શનનો લ્હાવો લેવા તેમજ કેરળ સંસ્કૃતિને નજીકથી નિહાળવા રાજકોટના સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
    આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ તા.૨૩/૧૨/૨૦૨૪ તા રોજ અયપ્પા ભગવાનની ધજા ઉતારી કરવામાં આવશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.