RAJKOT.તા.17
દક્ષિણ ભારત સિવાયના બહુ ઓછા લોકો અયપ્પા ભગવાન વિશે જાણતા હશે, કેમ કે, અયપ્પા ભગવાન એ દક્ષિણ ભારતમાં અત્યંત પૂજનીય અને લોકોની અયપ્પા ભગવાન તરફ ની શ્રધ્ધા જોવા જેવી છે, કયારેય દક્ષિણ ભારતમાં જાવ તો, અયપ્પા ભગવાનના સબરીમાલા મંદિરમાં જઈને કરી શકો છો. આજે આપણે ભગવાન અયપ્પા વિશે આપણે થોડુ જાણીએ.
પુરાણપ્રસિદ્ધ હકીકત મુજબ સમુદ્રમંથન દરમિયાન નીકળેલ અમૃત ની વહેંચણી માટે વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃતની વહેંચણી કરી, એ દરમિયાન શિવજી વિષ્ણુનો આ મોહિની રૂપ થી મોહિત થઈને એમના પરત્વે આકર્ષાયા અને અયપ્પા ભગવાનનો જન્મ થયેલ, જેના કારણે અયપ્પા ભગવાન ને હરિ-હર પણ કહેવામાં આવે છે. અયપ્પા ભગવાને મહર્ષિ રાક્ષસનો વધ કરવા માટે પૃથ્વી પર અવતાર લીધેલ હતો.
આવા અલૌકિક દેવ ‘અયપ્પા ભગવાન” નુ મંદિર આપણા રાજકોટમાં પરસાણાનગર-૧૫, સાંઢીયા પૂલ પાસે આવેલ છે, જયાં અયપ્પા ભગવાન ના મંદિર સિવાય ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણપતિ, ભગવાન કાર્તિકેય, માં દુર્ગા, નવ ગ્રહ મંદિર, નાગદેવતા મંદિર આવેલા છે, જ્યાં અયપ્પા ભગવાન ના દર્શન થતા જ તમોને અલૌકિક અહેસાસ થાય છે.
સબરીમાલા મંદિર, કેરેલામાં જે પુજાઓ ધાર્મિક વિધિઓ થતી હોય છે, તે જ રીતે તેવી તમામ પુજાઓ, ધાર્મિક વિધિઓ અયપ્પા મંદિર, રાજકોટમાં કરવામાં આવી રહેલ છે.
તે સિવાય આ મંદિરમાં આવતા નાના મોટા વાર-તહેવારો, પ્રસંગોમાં પુજા, મહામૃંત્યુજય હવન, ગણપતિ હવન, માતાજીના હવન વિગેરેના આયોજનો કરવામાં આવે છે તથા આ મંદિરમાં દર મહીને તમામ દેવો-દેવીઓને અષ્ટદ્રવ્યોથી અષ્ટાભિષેકમ કરવામાં આવે છે.
આ અયપ્પા ભગવાનના મંદિરના પુજારી (તિરમેની) દક્ષિણ ભારતની પ્રાચીન પધ્ધતિથી સારૂ એવુ જયોતિષ શાસ્ત્રનું જ્ઞાન ધરાવે છે અને અનેક ગામે ગામથી લોકો પોતાને પડતી મુશ્કેલીના નિવારણ માટે આ મંદિરે આવે છે અને તેઓને આ મંદિરમાં ભગવાન અયપ્પાની સાક્ષીએ ધાર્મિક વિધિઓ પુજા, હવનો, પિતૃ પુજા કરાવવામાં આવે છે અને લોકોને તેઓના દુઃખમાંથી મુકત પણ કરાવે છે.
આ મંદિરનુ સંચાલન અયપ્પા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેના પ્રમુખ તરીકે ડો. શીજી આર. પિલ્લઈ, મંત્રી-ગોપાલ ક્રિષ્નન પિલ્લઈ, ઉપપ્રમુખ-રાજેશભાઈ પિલ્લઈ અને ખજાનચી-બી. ટી. નાયર છે.
અમોને એ વાત જણાવતા આનંદ થાય છે કે, અયપ્પા મંદિર, પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ ખાતે તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૨૩/૧૨/૨૦૨૪ સુધી વાર્ષિક મહોત્સવ ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે ધાર્મિક કાર્યક્રમમાં કેરળથી આવનાર
મંદિરના મુખ્ય તંત્રી (પુજારી) તેની સાથે અન્ય પુજારીઓ સાથે આવીને તા.૧૭/૧૨/૨૦૨૪ ના સાંજે ૦૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા સુધી મંદિરનનું શુધ્ધિકરણ અને અન્ય પુજાઓ કરવામાં આવશે અને ત્યારબાદ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૦૫:૩૦ વાગ્યાથી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા સુધી અલગ અલગ ધાર્મિક પુજા વિધિઓ કરવામાં આવશે. તેમજ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ અયપ્પા ભગવાન ની ધજા ચડાવવામાં આવશે, જે તા. ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ મોટી પુજા કરીને ધજા ઉતારવામાં આવશે, ધજા ચઢાવવાની તથા ધજા ઉતારવાની ધાર્મિક વિધિને કેરળમાં ખૂબ જ મોટુ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે, જે ધાર્મિક કાર્ય અમુક જ મંદિરમાં થાય છે.
”પંચનાથ મંદિર થી અયપ્પા ભગવાનની મૂર્તિ લઈ ચૌધરી હાઈસ્કુલ-ધરમ ટોકીઝ, જામટાવર, અયપ્પા મંદિર યાત્રા નીકળશે. આ અયપ્પા ભગવાનની યાત્રા ૨૭ વર્ષ પછી પંચનાથ મંદિરથી તા.૨૨/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫ઃ૦૦ વાગ્યે પ્રયાણ કરશે. જેમાં દક્ષિણ ભારતની પ્રાચીન પ્રથા મુજબ દક્ષિણ ભારતની મહિલાઓ તે યાત્રામાં હાથમાં દીવો પ્રજ્વલિત કરીને યાત્રાને શોભાવશે, જેને ‘તાલપોલી’ કહેવામાં આવે છે, આ તાલપોલીનું દ્રશ્ય જોવા લાયક હોય છે, જે ભાગ્યે જ ગુજરાતમાં જોવા મળતુ હશે. જેમાં આગળ પંચવાઘયમ (પાંચ પ્રકારના વાધ) યંત્રોથી વીસ થી પચ્ચીસ વ્યકિતઓ સાઉથ ઈન્ડીયન સ્ટાઈલ માં ઢોલ નગારા વગાડી યાત્રાનું આગમન થશે.
સાઉથ ઈન્ડીયન કોમ્યુનીટી આ યાત્રામાં ઉમટી પડશે, આ કાર્યક્રમનુ આયોજન રાજકોટમાં લગભગ આશરે ૨૭ વર્ષ પછી સૌ પ્રથમવાર અયપ્પા સેવા સમિતિ ધ્વારા કરવામાં
આવનાર છે, જેથી દક્ષિણ ભારતના લોકો તથા રાજકોટના તમામ ધર્મપ્રેમી લોકોને આ યાત્રામાં પધારી અયપ્પા ભગવાન ના દર્શનનો લ્હાવો લેવા તેમજ કેરળ સંસ્કૃતિને નજીકથી નિહાળવા રાજકોટના સૌ લોકોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.
આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ તા.૨૩/૧૨/૨૦૨૪ તા રોજ અયપ્પા ભગવાનની ધજા ઉતારી કરવામાં આવશે.