Junagadh, તા. 8
આવતીકાલ 9 નવેમ્બર એટલે કે જુનાગઢનો આઝાદ દીન ત્યારે દેશને આઝાદ થયાને સાડા સાત દાયકાથી વધુ વર્ષો બાદ જુનાગઢવાસીઓની પાયાની સુવિધા રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવા સામાન્ય પાયાના પ્રશ્નો હજુ યથાવત જ રહ્યા છે. દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે. ત્યારે અડધા શહેરમાં જ પાણી આવે છે તે પણ એકાંતરા આવે છે.
15 ઓગષ્ટ 1947ના દેશ આઝાદ થયો પરંતુ જુનાગઢ 84 દિવસ બાદ આઝાદ થયું. કોંગ્રેસ-ભાજપ બંનેને નગરપાલિકા, મહાનગરપાલિકામાં શાસન કર્યુ છે. ભાજપે વધુ સત્તા ભોગવી છે. કેન્દ્રથી લઇ મનપા સુધી ભાજપનું શાસન રહેલું છે.
મોસાણે જમણવાર મા પિરસાણે છતાં લોકોની હાલત બેહાલત રહેવા પામી છે. પ્રાથમિક સુવિધા માટે છાશવારે આંદોલન થતા રહે છે. માત્ર આઝાદી દીને મોટી મોટી વાતો જ થાય છે. પ્રશ્નો યથાવત જ રહે છે. રોડ, રસ્તાઓની દાયકાઓથી બદતર હાલતથી પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે.