Kadi,તા.૨૬
કડીના બોરીસણા ગામના બે દર્દીઓના ખ્યાતિ હોસ્પિટલના તબીબો દ્વારા બિનજરૂરી એન્જીયોપ્લાસ્ટીના કારણે મોત થયા હતા. ચેરમેન કાર્તિક પટેલ, સીઈઓ ચિરાગ રાજપૂત, ડો.પ્રશાંત વજીરાની, ડો. સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી વિરુદ્ધ હત્યા, છેતરપિંડી અને અન્ય ગુના હેઠળ કુલ ૩ એફઆઇઆર નોંધવામાં આવી છે.
આ કેસમાં પોલીસે ડો.પ્રશાંતની ધરપકડ કરી છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચને સીઈઓ રાહુલ જૈન અને મિલિંદ પટેલ વિરુદ્ધ પણ પુરાવા મળ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની જાણમાં આવ્યું છે કે વોન્ટેડ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ પહોંચી ગયો છે, ત્યારે તેઓએ ધરપકડ વોરંટ અને રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરવા માટે સીઆઈડી ક્રાઈમને લેખિતમાં જાણ કરી હતી.
આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા ૧૪ દિવસથી અન્ય પાંચ આરોપીઓને અંધારામાં રાખીને શોધખોળ કરી રહી છે, પરંતુ એક પણ આરોપી પકડાયો નથી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ વોન્ટેડ આરોપીઓ સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચેય આરોપીઓની તસવીરો અને ધરપકડ વોરંટની નકલો દેશના તમામ રાજ્યોની પોલીસને મોકલી છે.ફરજિયાત એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરનાર ડો.પ્રશાંત વજીરાનીને કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ પર લીધા હતા. જેમાં ડો.પ્રશાંતે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ અનેક ચોંકાવનારા નિવેદનો નોંધ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં ક્રાઈમ બ્રાન્ચે ડો.પ્રશાંતને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. જોકે રિમાન્ડ દરમિયાન હોસ્પિટલના સંચાલકો પાસેથી કોઈ મહત્વની માહિતી મળી શકી નથી.
ક્રાઈમ બ્રાંચે નામાંકિત પેથોલોજી હોસ્પિટલમાંથી દર્દીઓના બ્લડ સેમ્પલ લઈને રિપોર્ટ પેથોલોજી અંગે માહિતી મેળવી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે પેથોલોજીનો આપેલો રિપોર્ટ સાચો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.