New Delhi,તા,23
દિલ્હી સરકારે ડો.બાબા સાહેબ આંબેડકરના નામે શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે તેને આંબેડકર સન્માન શિષ્યવૃત્તિ નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ દલિત સમુદાયનાં વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓનાં બાળકોને પણ ફાયદો થશે.
કેજરીવાલે કહ્યું કે, આ યોજના દલિત વર્ગનાં બાળકો માટે છે. દિલ્હી સરકાર તેમનો અભ્યાસ અને અભ્યાસ બાદ નોકરીની તૈયારીનો ખર્ચ ઉઠાવશે. આ અંતર્ગત દલિત વર્ગનાં બાળકો સ્કોલરશિપ હેઠળ વિદેશ જઈને અભ્યાસ કરી શકશે.
તેમણે કહ્યું કે, દલિત વર્ગમાંથી આવતાં કર્મચારીઓ અને અધિકારીઓના બાળકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. કેજરીવાલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સંસદમાં જે રીતે બાબા સાહેબનું અપમાન કર્યું છે.
તેનાં જવાબમાં અમે બાબા સાહેબનાં સન્માનમાં દલિત વર્ગ માટે આ યોજના લઈને આવ્યાં છીએ. આ યોજનાને કેજરીવાલનો ચૂંટણી પહેલાંનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવી રહી છે