Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: 10 ટકાના ઊંચા વ્યાજે નાણાં ધીરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

    October 15, 2025

    Surendranagar: મૂળી ગ્રામ્યમાં વીજ કંપનીના વાયર ચોરનાર તસ્કર પકડાયો

    October 15, 2025

    Surendranagar: વઢવાણમાં નજીવી વાતમાં બે પક્ષ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

    October 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: 10 ટકાના ઊંચા વ્યાજે નાણાં ધીરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ
    • Surendranagar: મૂળી ગ્રામ્યમાં વીજ કંપનીના વાયર ચોરનાર તસ્કર પકડાયો
    • Surendranagar: વઢવાણમાં નજીવી વાતમાં બે પક્ષ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ
    • Surendranagar: યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ કરી
    • Surendranagar: ફટાકડા વેચાણની 26 અરજી કરાઇ નામંજૂર
    • ગિરનાર શિખરની મૂર્તિ તોડનારાઓનાં મોઢા કાળા કરી જુતા ફટકારવા મહંત મહેશગીરીની માંગ
    • Junagadh: સાંપ્રત સંસ્થામાં 50 કિલો પાવર સોલારનું ઉદઘાટન
    • Junagadh: મેંદરડામાં મજુરી કામે આવેલ સગીરાની છેડતી : ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…દેશની આર્થિક તસવીર બદલનાર મનમોહન સિંહની વિદાય
    લેખ

    તંત્રી લેખ…દેશની આર્થિક તસવીર બદલનાર મનમોહન સિંહની વિદાય

    Vikram RavalBy Vikram RavalDecember 28, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડો.મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે ક્યારેય મીડિયાથી ખુદને બચાવવાની કોશિશ ન કરી. તેમણે કેટલીય પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં તેમની આખરી પ્રેસ કોન્ફરન્સ સૌથી યાદગાર હતી. તેમાં તેમને પૂછવામાં આવ્યું કે તેઓ વડાપ્રધાન રૂપે ખુદને કેવી રીતે આંકે છે? તેમનો કોઇ ખચકાટ વિના જવાબ હતો, ઇતિહાસ મારું યોગ્ય આકલન કરશે (ધ હિસ્ટ્રી વિલ રાઇટ્‌લી જજ મી), અને આજે જ્યારે મનમોહન સિંહ આપણી વચ્ચે નથી રહ્યા, તો ખરેખર ઇતિહાસે તેમને આંકવાનો સમય આવી ગયો છે. જ્યારે ઇતિહાસ તેમને આંકશે તો નિશ્ચિતપણે યાદ કરશે કે નાણાંમંત્રી તરીકે મનમોહન સિંહે ભારતની અર્થવ્યવસ્થાને ત્યારે સંકટમાંથી ઉગારી, જ્યારે તેમની પૂર્વવર્તી સરકાર દેશનું સોનું સુદ્‌ઘાં વિદેશમાં ગિરવી મૂકી ચૂકી હતી. એમ તો આર્થિક સુધારાના જનક તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવને જ ગણવા જોઇએ, તેમ છતાં તેને અમલમાં લાવનારા નાણાંમંત્રી મનમોહન સિંહની પણ ઉપલબ્ધિ ઓછી ન આંકી શકાય.

    ભારતમાં મનમોહન સિંહને લઈને લોકો જે પણ માનતા હોય, પરંતુ દુનિયા તેમને કેવા ઊંચા સ્તર પર મૂકતી હતી, તેનો અંદાજ તેમની સાથે વિદેશ યાત્રાઓ પર જવાથી મળતો હતો. વાત ૨૦૧૨ની છે. જી-૨૦ શિખર સંમેલન મેક્સિકોના લોસકાબોસ શહેરમાં હતું. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની સાથે જનારા પ્રતિનિધિમંડળમાં તમામ પત્રકારો શિખર સંમેલનના સ્થળ પર પહોંચી ગયા. ત્યાં એક-એક કરીને તમામ રાષ્ટ્રાધ્યક્ષો આવતા હતા અને મંડપની બહાર પોર્ચમાં મેક્સિકોના પ્રોટોકોલ મંત્રી તેમનું સ્વાગત કરી રહ્યા હતા. આ અતિ વિશિષ્ટ રાષ્ટ્રાધ્યક્ષોમાં અમેરિકા, રશિયા, ઇંગ્લેન્ડ, જર્મની જેવા દેશોના શીર્ષ નેતા હતા. અચાનક મેક્સિકોના રાષ્ટ્રપતિ બહાર આવ્યા. બધા વિચારવા લાગ્યા કે તેઓ કોના માટે આવ્યા હશે? ત્યારે જ ચીનના રાષ્ટ્રપતિ આવ્યા અને મેક્સિકોના રાષ્ટ્રપતિ તેમને પોતાની સાથે અંદર લઈ ગયા. થોડી વારમાં જ ફરી એક વખત મેક્સિકોના રાષ્ટ્રપતિ પોર્ચમાં આવ્યા. તમામ પત્રકારોની ઉત્સુકતા વધી ગઈ. બધાની ખુશી બેવડાઇ ગઈ જ્યારે આપણા વડાપ્રધાનની તિરંગાવાળી કાર આવી અને યજમાન રાષ્ટ્રપતિએ આગળ વધીને મનમોહન સિંહનું સ્વાગત કર્યું. તેમને સસન્માન અંદર લઈ ગયા. બધાના મનમાં સવાલ હતો કે માત્ર ભારત અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષોને જ આટલું સન્માન કેમ મળ્યું? તેનો જવાબ પણ જલ્દી મળી ગયો, જ્યારે બધાએ જોયું કે મંચ પર સૌથી વધારે કોઈની પ્રતિષ્ઠા હતી તો તે ભારત અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષોની હતી. તેમાં પણ ડો.મનમોહન સિંહને તમામ વિશ્વ નેતાઓ ઘેરી વળ્યા હતા. બાદમાં ખબર પડી કે ત્યાં શું વાત થતી હતી, બધા વૈશ્વિક નેતાઓ મનમોહન સિંહ પાસે જાણવા માગતા હતા કે ભારતે ૨૦૦૮ની વૈશ્વિક મંદીથી પોતાને કેવી રીતે બચાવ્યું. આપણા વડાપ્રધાન ચિરપરિચિત શૈલીમાં કોઈ શિક્ષકની જેમ તેમને સમજાવી રહ્યા હતા.

    બ્રાઝિલના રિયો ડિ જાનેરોમાં રિયો-૨૦ પૃથ્વી સંમેલનમાં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મનમોહનની દ્વિપક્ષીય મુલાકાત હતી. મનમોહન સિંહ થોડા મોડા પહોંચ્યા અને વિલંબ માટે ખેદ વ્યક્ત કર્યો, તો ચીની રાષ્ટ્રપતિએ ઉષ્માભેર કહ્યું, દુનિયાના નામી અર્થશાસ્ત્રી વડાપ્રધાનનું સ્વાગત કરવું મારા માટે ગૌરવની વાત છે. આ એક ઉદાહરણ છે મનમોહન સિંહની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠાની, પરંતુ મનમોહન સિંહને પોતાના આ સન્માનથી કોઈ ફરક નહોતો પડતો. તેમની સહજતા અને વિનમ્રતા તો એવી જ રહેતી હતી. જોકે તેમની આ સહજતાને જ કોંગ્રેસીઓ કમજોરી માનતા હતા. નાણાંમંત્રી તરીકે મનમોહન સિંહ જેટલા સહજ હતા એટલા જ સહજ વડાપ્રધાન પદે પણ રહ્યા. બેહદ વિનમ્ર અને ધીમું બોલનારા મનમોહન સિંહ પત્રકારોના સવાલોનો જવાબ બેહદ શાલીનતાથી આપતા હતા. ક્યારેક તેમને નારાજ કે અસહજ થતાં નથી જોયા. તેઓ પોતાની મારુતિ-૮૦૦ કાર ખુદ ચલાવીને આવતા. કોંગ્રેસના કેટલાય વરિષ્ઠ નેતા તેમની સહજતાને હંમેશાં તેમની કમજોરી કહેતા, કારણ કે તેઓ ક્યારેય સદનમાં સરકાર પર એ રીતે આક્રમક નહોતા રહેતા, જેની આદત સામાન્યપણે વિપક્ષી નેતાઓને હોય છે.યુપીએ સરકારના દસ વર્ષમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહ વચ્ચે ઝગડો કરાવવાની ઘણી કોશિશો થઈ. પરંતુ તેઓ સફળ ન થયા. કેટલીય વાર બંને વચ્ચે કોઈ મુદ્દા પર સહમતિ નહોતી બનતી, પરંતુ ક્યારેક સોનિયા તો ક્યારેક મનમોહન સિંહે પાછળ હટીને ટકરાવની નોબત ન આવવા દીધી.

    Editorial
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    કામના-મમતા અને તાદાત્મયના લીધે શરીર સાથે એકતા પ્રતિત થાય છે

    October 14, 2025
    લેખ

    બાબા ઈશ્વર શાહના અનંત અમૃત વર્ષગાંઠ સાથે, કરુણાનો પ્રકાશ ભક્તોના હૃદયમાં ઉતર્યો

    October 14, 2025
    લેખ

    ક્રોધ એ જુસ્સાનું એક ભયંકર સ્વરૂપ છે,જ્યારે વાસનામાં હોય છે,ત્યારે તે વ્યક્તિને સૌથી ઘૃણાસ્પદ ગુનાઓ કરવા માટે પ્રેરે છે

    October 14, 2025
    લેખ

    India-UK નવી આર્થિક ભાગીદારીની વાર્તા-PM કીર સ્ટાર્મરની ઐતિહાસિક સફળ ભારત મુલાકાત

    October 14, 2025
    લેખ

    તંત્રી લેખ…ભારતે તમામ મોરચે સતર્ક રહેવું જોઈએ

    October 14, 2025
    ધાર્મિક

    Dhanteras થી યમદ્વિતીયા સુધી, તહેવારોની પૂજાનું શાસ્ત્રીય અને જ્યોતિષીય મહત્વ

    October 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: 10 ટકાના ઊંચા વ્યાજે નાણાં ધીરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

    October 15, 2025

    Surendranagar: મૂળી ગ્રામ્યમાં વીજ કંપનીના વાયર ચોરનાર તસ્કર પકડાયો

    October 15, 2025

    Surendranagar: વઢવાણમાં નજીવી વાતમાં બે પક્ષ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

    October 15, 2025

    Surendranagar: યુવતીએ લિવ-ઇનમાં રહેતા સગીર પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ કરી

    October 15, 2025

    Surendranagar: ફટાકડા વેચાણની 26 અરજી કરાઇ નામંજૂર

    October 15, 2025

    ગિરનાર શિખરની મૂર્તિ તોડનારાઓનાં મોઢા કાળા કરી જુતા ફટકારવા મહંત મહેશગીરીની માંગ

    October 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: 10 ટકાના ઊંચા વ્યાજે નાણાં ધીરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

    October 15, 2025

    Surendranagar: મૂળી ગ્રામ્યમાં વીજ કંપનીના વાયર ચોરનાર તસ્કર પકડાયો

    October 15, 2025

    Surendranagar: વઢવાણમાં નજીવી વાતમાં બે પક્ષ વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ નોંધાઈ

    October 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.