► 25 માર્ચ-1971 બાદ આસામના ગેરકાનૂની ઘુસણખોરોને નાગરિકતા નહીં
► 1985ના સીટીઝનશીપ એક્ટમાં કરાયેલા સુધારાથી કોઇ બંધારણીય જોગવાઇનો ભંગ થતો નથી: 1 જાન્યુ.-1966 પૂર્વે આવેલા તમામ ભારતીય નાગરિક ગણાશે
► ગેરકાનૂની ઘુસેલા બાંગ્લાદેશી અને મ્યાનમારના નાગરિકોને હાંકી કાઢવા માટે મહત્વનું અર્થઘટન: નેશનલ સીટીઝન રજીસ્ટ્રીના અમલની પણ સરળતા સર્જાશે
New Delhi તા.17
આસામમાં ઘુસણખોરી મુદ્ે વિદેશી નાગરિકોની ઓળખ કરવા માટે નાગરિકતા કાનૂનની કલમ 6-એમાં 1985માં કરાયેલા સુધારામાં સર્વોચ્ચ અદાલતે બંધારણીય ગણાવી હતી.
4:1થી અપાયેલા આ ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે હવે આસામમાં ગેરકાનૂની નાગરિકોની ઓળખ અને જે ખરેખર ભારતીય છે તે નિશ્ર્ચિત કરવા માટે 25 માર્ચ-1971ની કટઓફ ડેટને માન્ય રાખી છે અને પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે આસામમાં જે રીતે વિવિધ જાતિઓના સમુહની હાજરી છે
તેથી આ સુધારોએ બંધારણની નાગરિકતા સંબંધી કલમ 29(1)નું ઉલ્લંઘન કરતી નથી. આસામ સમજુતી મુજબ 1985માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાનૂનમાં સુધારો કરીને તેમાં કટ ઓફ ડેટ આસામ સમજૂતી મુજબ ઉમેરી હતી. જેને એક થી વધુ અરજી દ્વારા પડકારવામાં આવી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે આસામમાં ગેરકાનૂની ઘુસણખોરોને ભારતીય નાગરિકતા આપવા માટે જે નાગરિકતા એકટમાં સુધારો કર્યો છે જેને બંધારણીય ગણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના નેતૃત્વની પાંચ જજોની ખંડપીઠમાંથી ચાર જજોએ આ ચુકાદો આપ્યો હતો જ્યારે એક ન્યાયમૂર્તિ પારડીવાલાએ 6-એને ગેર બંધારણીય ગણાવી હતી.
સર્વોચ્ચ અદાલતે આ ચૂકાદા પૂર્વે ચાર દિવસ સુધી એટર્ની જનરલ વેંક્ટરમણી, સોલીસીટર જનરલ તુષાર મહેતા આ ઉપરાંત સીનીયર ધારાશાસ્ત્રી કપિલ સીબ્બલ અને શ્યામ દિવાનની દલીલો પણ સાંભળી હતી. આસામમાં જે નાગરિકતાનો વિવાદ છે તેેને હલ કરવા કેન્દ્ર સરકારે સુધારા કર્યા હતા.
સરકાર તરફથી દાખલ કરાયેલ સોગંદનામામાં જણાવ્યું હતું કે 2017થી 2022 સુધીમાં કુલ 14346 વિદેશી નાગરિકોને દેશમાંથી તડીપાર કરાયા છે. જાન્યુ.-1966 થી માર્ચ-1971 દરમ્યાન આસામમાં પ્રવેશ કરનાર 17861ને ભારતીય નાગરિકતા અપાઇ છે. 1966 થી 1971 દરમ્યાન જે વિદેશીઓએ આસામમાં ઘુસણખોરી કરી હતી
તે સંદર્ભમાં આ કાનુની સુધારો કરાયો હતો. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોમાં આ કાનૂનનો અમલ કરી શકી હોત પરંતુ આસામ એક ખાસ અને અલગ દેશ છે જ્યાં ઘુસણખોરીનો પ્રશ્ર્ન સૌૈથી વધુ છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આપને પાડોશી પસંદગીની છૂટ નથી.
પરંતુ ઘુસણખોરી અલગ બાબત છે અને તેથી 1-જાન્યુ.-1966 પૂર્વે જે લોકો આસામમાં ઘુસ્યા છે તે ભારતીય નાગરિક ગણાશે. જ્યારે 1966 થી 1971 દરમ્યાન જેઓ ભારતમાં ઘુસ્યા છે તેઓની નાગરિકતા કલમ-6એ મુજબ નિશ્ર્ચિત થશે. પરંતુ 25 માર્ચ-1971 બાદ જેઓ આસામમાં ઘુસ્યા છે તેઓને કલમ 6-એનો લાભ મળશે નહીં અને તેઓ ગેરકાનૂની ઘુસણખોર જાહેર થશે.