Adelaide,તા.11
ઓસ્ટ્રેલિયાનાં વિકેટ-કીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું કે, પર્થમાં ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ ટીકાથી ચોંકી ગયાં હતાં, પરંતુ કેપ્ટન પેટ કમિન્સની નિયંત્રિત આક્રમકતાને કારણે તેઓ તેમનાં શ્રેષ્ઠ પ્રદર્શનથી બાઉન્સ બેક કરવામાં સફળ રહ્યાં હતાં.
પર્થમાં હાર બાદ ટીમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ગિલક્રિસ્ટે ફોક્સ ક્રિકેટને કહ્યું કે, ” કમિન્સની ટીમે જે પણ વિકેટ લીધી તે તેની ઉજવણી પરથી જોઈ શકાય છે.
તેણે લીધેલી દરેક વિકેટ પર તેની ઉજવણી વધુ આક્રમક દેખાય રહી હતી.” તેમણે કહ્યું કે, એવું નથી કે ઓસ્ટ્રેલિયન ટીમે બહુ ખરાબ રીતે રમી પરંતુ પર્થમાં હાર બાદ ખેલાડીઓને થોડું ખરાબ લાગ્યું હતું. ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આનાથી તેઓ નિરાશ થયાં હશે.