Junagadh તા.૨૭
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ગર્વથી પેન્શન વિભાગ અને પેન્શનર્સ વેલફેર (DoPPW) સાથે તેમના રાષ્ટ્ર વ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) અભિયાન 3.0 માં ભાગ લેશે જેમા ૩૦મી નવેમ્બર, ૨૦૨૪ સુધી, ૮૦૦ શહેરો અને નગરોને આવરી લે છે. આ પહેલનો ઉદ્દેશ્ય ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલૉજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેન્ટ્રિકની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. જેના દ્વારા પેન્શનરો ને તેમજ દૂરના વિસ્તારોના તમામ પેન્શનરોને પણ લક્ષ્યમાં રાખી ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલૉજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેન્ટ્રિકની ડિજિટલ પ્રક્રિયા થકી તેમને ઘર આંગણે અથવા ઘરથી નજીક જીવન પ્રમાણપત્રની સગવડ પૂરી પાડવામાં આવશે.
આ ઝુંબેશ 3.0 દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વરિષ્ઠ નાગરિક પેન્શનરો તેમના ઘર આંગણે કે તેમના ઘરની નજીક (DLC) ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ખૂબ જ સરળતાથી જમા કરાવી શકશે. આ હાંસલ કરવા માટે, DoPPW એ પોસ્ટ વિભાગ તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બઁક સાથે સહયોગ કર્યો છે.
આ તકે શ્રી.એ.એચ.ચાવડા, અધિક્ષક, પોસ્ટ ઓફીસ જૂનાગઢ એ જણાવ્યુ કે પોસ્ટ ઓફિસો/પેન્શનરોમાં DLC સેવા પ્રદાન કરવા માટે પોસ્ટ્સ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના વિશાળ નેટવર્કનો લાભ લઈને ડોરસ્ટેપ/ડીએલસી કેમ્પ કરવામાં આવશે. આ ઝુંબેશને પેન્શનર્સ વેલ્ફેર એસોસિએશન, UIDAI સહિત વિવિધ હિત ધારકો દ્વારા ટેકો આપવામાં આવશે. આ ઝુંબેશ પેન્શનરોને પેન્શનર પરંપરાગત કાગળ-આધારિત પ્રમાણ પત્રો સબમિટ કારવામાંથી મુક્તિ અપાવે છે સાથે ડિજિટલ પ્રક્રિયા પ્રદાન કરી ને DLC જમા કરવાની જરૂરિયાતને સરળ બનાવે છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ ૨૦૨૦માં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોરસ્ટેપ સર્વિસ શરૂ કરી હતી. જેમાં તમામ કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારીઓના ભવિષ્યનિધિના પેન્શનધારકો માટે જીવન પ્રમાણ જનરેટ કરવા માટે (EPFO)સંસ્થા, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)વગેરે સાથે સંકલન કર્યું હતું. જે આધાર સક્ષમ અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ પર આધારિત તે વૃદ્ધ પેન્શનરો માટે ખૂબજ ઉપયોગી છે.
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જારી કરવવા માટે તેમને પેન્શન ઑફિસની ભૌતિક મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. પેન્શનરે માત્ર નજીકની પોસ્ટઑફિસ અથવા પોસ્ટમેન/ગ્રામીણ ડાક સેવક નો સંપર્ક કરવાનો છે. પોસ્ટમેન/ગ્રામીણ ડાકસેવક દ્વારા DLC જનરેશન માટે GST સહિત રૂ.૭૦/- ની નજીવી ટ્રાન્ઝેક્શન ફી લઈ ને પેન્શનરે આપેલા સરનામે જઈ ને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (હયાતીનું પ્રમાણપત્ર) જનરેટ કરી આપે છે. જેથી કરીને વયોવૃદ્ધ પેન્શન ધારકોએ ટ્રેઝરી, બેન્ક કે અન્ય વિભાગમાં ધક્કો ખાવાની જરૂર નહીં રહે.
આ સુવિધા માટે આધારનંબર, મોબાઈલ નંબર, બઁક ખાતા નંબર અને પીપીઓ નંબરની વિગતો પ્રદાન કરવાની રહેશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થવા પર પેન્શનર દ્વારા તેના મોબાઇલ નંબર અને પ્રમાણપત્ર માં પુષ્ટિકરણ SMS પ્રાપ્ત થશે. જેને T+1 દિવસ પછી https://jeevanpramaan.gov.in/ppouser/login પર ઑનલાઇન જોઈ શકાય છે.