Junagadh,તા.19
બોર્ડની પરીક્ષા આપતા બાળકો માટે ખૂબ જ પ્રેરણા સફર અને ભયમુક્ત પરીક્ષા જેમાં થોડી સમજ અને સમય સૂચકતાથી પરિણામ ની 100% ગેરંટી આપતો, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારતો અલગ અલગ સંસ્થાઓમાં બલદેવપરીનો આ 48 મો સેમિનાર હોય.
આવો જ એક અતિ સુંદર પ્રેરણાત્મક સેમિનાર જૂનાગઢમાં તપોવન શૈક્ષણિક સંકુલના શ્રી એ પી પટેલ માધ્યમિક શાળામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન અને બોર્ડની પરીક્ષા માં સફળતા મેળવવા માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ મેંદપરા આચાર્યશ્રી જીગરભાઈ રાદડિયા આ વર્ષે બોર્ડની પરીક્ષામાં આપતા બાળકો માટે આ કાર્યક્રમ યોજયો હતો
ટેન્શન મુક્ત પરિક્ષા સેમિનાર આ કાર્યક્રમમાં ખાસ બબ્બે વાર ભારતના રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલા શ્રેષ્ઠ શિક્ષક એવા શ્રી બલદેવપરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ગણિત અને વિજ્ઞાન વિષયોની ટેકનિકો શીખવાડી, બધાંને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. હળવી શૈલીમાં પ્રશ્નોતરી સાથે સફળતાની ચાવીઓ બતાવી પરીક્ષાનો ડર દૂર કરી દીધો હતો, તેઓ ના આ સેમિનાર માં ખરેખર સ્કુલના દરેક વિદ્યાર્થીઓનાને ખૂબ રસ પૂર્વક ભાગ લીધો હતો તેમજ સેમીનારને અંતે બાળકોને પ્રશ્નોતરી પણ કરી હતી
બલદેવપરીએ સુંદર લાઈવ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને તમે પોતે જ શક્તિનો ભંડાર છો તમારી આંતરિક શક્તિની જાગૃત કરીને
સ્વયંભૂ ઊર્જા સ્ત્રોત વિશે અને સફળતાની ચાવીઓ અને સફળતાના પ્રકારો સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યા હતા. માત્ર બોર્ડની પરીક્ષા જ નહીં જીવનની પ્રત્યેક પરીક્ષામાં સફળતાપૂર્વક પસાર થઈ શકાય છે તેવો સહજ અને સરળ પ્રેરણા આપતો મેસેજ આપી બાળકોને આત્મવિશ્વાસથી સભર કર્યા હતા . માત્ર થોડી સમજ અને સમય સૂચકતાથી પરીક્ષા નુ પેપર ભરવામાં આવે તો સો ટકા સફળ થઈ શકાય છે એવો સકારાત્મક વિચાર વિદ્યાર્થીઓના મનમાં પ્રસ્થાપિત કર્યો. અંતે વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોનો ખૂબ જ સહજ અને સરળ ઉકેલો આપી કાર્યક્રમનું સમાપન થયું.