Maharashtra,તા.07
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોમાં મહાયુતિની ભવ્ય જીત બાદ વિપક્ષી ગઠબંધનમાં તિરાડ દેખાવા લાગી છે. મહા વિકાસ અઘાડીનો ભાગ બનેલી સમાજવાદી પાર્ટીએ હવે ગઠબંધન છોડવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સપાના વડા અબુ આઝમીએ શનિવારે જણાવ્યું હતું કે બાબરી મસ્જિદ ધ્વંસ પર શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના વલણને કારણે તેમની પાર્ટીએ ખટઅ છોડવાનો નિર્ણય કર્યો છે.
એસપીના મહારાષ્ટ્ર યુનિટના વડા, ધારાસભ્ય અબુ આઝમીએ એમવીએ છોડવાના નિર્ણય પર કહ્યું, “શિવસેના-યુબીટી દ્વારા અખબારમાં એક જાહેરાત આપવામાં આવી હતી જેમાં તેણે બાબરી મસ્જિદના ધ્વંસમાં સામેલ લોકોને અભિનંદન આપ્યા હતા.
તેમના (ઉદ્ધવ ઠાકરેના) નજીકના લોકો પણ ડ પર પોસ્ટ કર્યું અને મસ્જિદના વિધ્વંસનું સ્વાગત કર્યું.” તેમણે કહ્યું, “એટલે જ અમે મહા વિકાસ અઘાડી છોડી રહ્યા છીએ. હું સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે વાત કરી રહ્યો છું.”
શિવસેના-UBT નેતા મિલિંદ નાર્વેકરે તાજેતરમાં જ પોતાના X એકાઉન્ટ પર બાબરી મસ્જિદના ધ્વંસ સંબંધિત એક તસવીર પોસ્ટ કરી હતી. તેમાં બાળ ઠાકરેનું નિવેદન પણ સામેલ હતું – ’જેઓએ આ કર્યું તેના પર મને ગર્વ છે’.
આ સાથે શિવસેના સેક્રેટરીએ આ પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને પોતાની તસવીરોનો પણ ઉપયોગ કર્યો હતો. તેના પર અબુ આઝમીએ કહ્યું કે જો મહા વિકાસ આઘાડીમાં કોઈ આવી ભાષાનો ઉપયોગ કરે છે તો તેમના અને ભાજપમાં શું ફરક છે? છેવટે, શા માટે આપણે તેમની સાથે રહેવું જોઈએ?