જમ્મા જાગરણ, સ્નેહ મિલન, સંતોના આર્શિવાદ, પાટકોરી અને સંતવાણીનું આયોજન
RAJKOT, તા.૨૯
તા.૭ શનિવારે રામદેવરા (રણુજા) રાજસ્થાન બાબા રામદેવપીર સમાધી સ્થાનની પાવન ભૂમી પર બાબા રામદેવ સેવા સમિતિ એવમ રામદેવ ભક્ત સંગમ દ્વારા આનંદસિંહ તંવરના નેજા હેઠળ કચ્છ-મોરબીના સાંસદ અને બાબા રામદેવજી મહારાજના અનન્ય ભકત વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યાત્રીક ભવન ભૂમીપૂજન, જમ્મા જાગરણ, સ્નેહ મિલન એવમ સંતોના આશીર્વાદ પાટકોરી-મહાપ્રસાદ તથા સંતવાણી, મહાનુભાવોનું સન્માનનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે.
૨૦૨૪ લોકસભા ચુંટણીમાં વિનોદભાઈ ચાવડાને ફરી ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે અને મોટી લીડથી તેઓ વિજયી બને માટે તેમના સ્નેહીજનો, મિત્રો તરફથી શુભકામના પ્રાર્થી હતી. તેઓ સૌને આ પ્રસંગે સાંસદ તરફથી રણુજા બાબા રામદેવજી મહારાજના દર્શન અને શુભકામના પૂર્ણ કરવાનુ ભાવપુર્ણ નિમંત્રણ પણ પાઠવેલ છે. દર બીજના દર્શનાર્થે આવતા શ્રઘ્ધાળુઓ ભકતજનોને પણ ઉપસ્થિત રહેવાનુ બાબા રામદેવ સેવા સમિતિ, રામદેવ ભક્ત સંગમ કચ્છ અને સમિતિ સચિવ ખેતમલ શર્મા, રાષ્ટ્રીય સંયોજક હરજીવન મારવાડા તથા ગુજરાત પ્રદેશ સંયોજક પ્રકાશ કુમાર બારોટે નિમંત્રણ આપેલ છે. જય બાબેરી ધર્મશાળા, જૈન મંદિરની બાજુમાં પધારવાનું રહેશે ત્યાં રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાપકો તરફથી કરવામાં આવેલ હોવાનુ એક યાદીમાં જણાવાયુ છે.