Rajkot,તા.13
વિશ્વભરમાં સનાતન ધર્મના સંસ્કારોને જીવંત રાખવા તથા યુવા પેઢીને સકારાત્મકતાથી ભરપૂર આનંદમય જીવનશૈલી તરફ અગ્રેસર રાખવાના અભિગમ સાથે છેલ્લા લગભગ બે દાયકાથી વિશ્વના અનેક દેશોમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં ધાર્મિક – સાંસ્કૃતિક અનુષ્ઠાનો સમયાંતરે સંપન્ન થતાં આવ્યા છે.
ત્યારે ગત રોજ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ મસ્ક્ત – ઓમાન તથા દુબઈના ધર્મ પ્રચાર યાત્રા અર્થે રાજકોટથી પ્રસ્થાન કર્યું હતું. તા.11 થી 19 જાન્યુઆરી દરમ્યાન મસ્ક્ત,દુબઇ,શારજાહ તથા બર દુબઇ ખાતે સત્સંગ – વચનામૃત – શ્રીકૃષ્ણ ધ્યાન જેવા આધ્યાત્મિક આયોજનો પૂજ્ય મહારાજના સાનિધ્યમાં સંપન્ન થશે. ગલ્ફ દેશોમાં વસતા ભારતીય સમુદાયના ધર્મપ્રેમીજનો મોટી સંખ્યામાં આ અલૌકિક આયોજનોથી લાભાન્વિત બનશે.